________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન
પ્રકાશ્યું. વિહાર કરતાં પુંડરીક સ્વામિને કહ્યું કે—અત્રે સ્થિરતા કરો. આ ગિરિરાજના પ્રતાપે તમાને અને તમારા પિરવારને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે ગિરિરાજના મહિમા વધશે.
આવા પ્રભુના આદેશથી શ્રીપુ ડરીક ગણધર ભગવંત પાંચ ક્રોડ મુનિવરે સાથે ત્યાં જ રહ્યા અને અનશન કર્યું .. પાંચક્રોડ મુનિવરા સાથે શ્રીપુંડરીકસ્વામિજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને ચૈ. સુ. ૧૫ના મેક્ષે ગયા. ત્યારથી આ તીર્થ શ્રીપુડરીકગરિરાજ નામથી પ્રસિદ્ધ થયું.
જ્યાં માત્ર એક મુનિ સિદ્ધ થાય તે પણ તીથ કહેવાય છે, તેા શ્રીશત્રુ...જય ગિરિવર ઉપર આટલા બધા મુનિવરેશ સિદ્ધ થયા તેથી તે તીર્થાંત્તમ તીર્થ કહેવાય છે.
એકવાર ભરત મહારાજાએ પ્રભુ મુખથી સંઘપતિના પદનું વર્ણન સાંભળતાં, તેમને સંઘપતિ થવાની ભાવના થઈ અને પ્રભુને વિન ંતિ કરતાં પ્રભુએ વાસસ્યૂના નિક્ષેપ કર્યાં. એટલે શક્રેન્દ્ર દિવ્યમાળા મંગાવી ભરત મહારાજા અને તેમની પત્ની સુભદ્રાના કંઠમાં પહેરાવી.
ભરતજીએ મેાટા સંઘ સહિત અને સુવર્ણના મંદિર સહિત શ્રીગિરિરાજની યાત્રા માટે પ્રયાણ કર્યું. ગામેગામ પડાવ કરતાં અને પ્રભુ ભક્તિ કરતાં અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા, ત્યાં સૌરાષ્ટ્રના અધિપતિ શક્તિસિંહે ભરત મહારાજાનું સન્માન કર્યું.
દૂરથી ગિરિરાજના દર્શીન થતાં સંઘ સહિત ભરત મહારાજાએ ગિરિરાજની સ્તવના કરી, પછી શ્રીનાભગણધરને પુછ્યું કે, આ ગિરિરાજની કેવી રીતે પૂજા કરવી ? અને અહીં શી શી ક્રિયા કરવી ?
શ્રીનાભગણધરે જણાવ્યું કે ‘જ્યારે આ ગિરિવર નજરે પડે ત્યારે પ્રથમ નમસ્કાર કરવા, જે કેાઈ ગિરિરાજના દર્શનની પ્રથમ વાત જણાવે તેને દાન આપવું, તેથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દન થતાં ગિરિવરને સાનુ', મણિ રત્ન વગેરેથી વધાવવા, વાહનના ત્યાગ કરી પૃથ્વી ઉપર આળેટી પ ́ચાંગ નમસ્કાર કરી, પ્રભુના ચરણેાની જેમ ગિરિરાજની સેવા કરવી, ત્યાં સંઘના પડાવ નાંખી ઉપવાસ કરવા, સ્નાન કરી શુદ્ધ થઇ સંઘ સાથેના દેવાલયમાં સ્નાત્ર પૂજા કરવી, પછી સંઘના પડાવની બહાર પવિત્ર જગ્યા ઉપર શ્રીશત્રુંજય સન્મુખ પૂજાનેા ઉત્સવ કરવા.
આ પ્રમાણે સાંભળી ભરત મહારાજાએ બધી વિધિ કરી, પછી અનુક્રમે શ્રીગિરિરાજ પાસે આવી પહેાંચ્યા. ત્યાં વાકીરત્ન પાસે સંઘના પડાવ કરાવ્યેા.
(૬૦)