________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
સુમતિ સુધારસ વરસતે, કર્મ દાવાનલ સત !
તે તીર્થેશ્વર પ્રણમીયે, ઉપશમ તસ ઉલસંત ૬૬ખમાળા આત્મામાં સબુદ્ધિ રૂપ અમૃતરસ વરસતાં વિદ્યમાન કર્મ દાવાનલ ઉપશાંત થાય છે અને તેને અંતર આત્મા ઉલ્લાસમય થાય છે. એવા આ તીર્થેશ્વરને નમન કરો ૬ દા
ધૃતધર નિત નિતુ ઉપદિશે, તત્તાતત્વ વિચાર
તે તીર્થેશ્વર પ્રણમીયે, ગહે ગુણયુત શ્રોતાર પ૬૭ખમા શાસ્ત્રના અર્થને પામીને ગીતાર્થ થયેલા એવા ગુરુદેવે આ તીર્થના ગુણને સમજનારા એવા શ્રોતાગણને તત્ત્વ-અતત્ત્વને વિષય અને તીર્થરાજના મહિમાને સમજાવે છે. આવા આ મહિમાભર્યા તીર્થેશ્વરને હે ભવ્ય ! તમે હંમેશ નમસ્કાર કરે. ૬૭
પ્રેમ મેલ ગુણગણતણું, કરતિ કમલા સિંધુ
તે તીર્થેશ્વર પ્રણમીયે, કલિકાલે જગ બંધુ ૬૮ખમાળા આ તીર્થ ગુણના સમુદાયનું પ્રેમ મેલક તીર્થ છે, વળી કીર્તિરૂપી લક્ષ્મી માટે સમુદ્ર સરખું છે. અને વળી કલિકાલની અંદર સહાય કરનાર જગતનાં બધું સરખું આ છે. તે હે ભવ્ય ! આવા પાવન તીર્થને સે ૬૮
શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ
તે તીર્થેશ્વર પ્રણમીયે, દિન દિન મંગલ માલ ૬ખમાશે આ તીર્થેશ્વરની વિશાલ ભક્તિ વડે લક્ષમી, શાંતિ અને સંસારની માયાને તરીને મુક્ત થવાય છે. તેમજ દિવસે દિવસે મંગલનું ભાથું વધતું જાય છે. આવા આ તીર્થરાજને પ્રણમે ૬૯ખમાવો
Aવેત ધ્વજા જશ ફરકતી, ભાખે ભવિને એમ
તે તીર્થેશ્વર પ્રણમીયે, ભ્રમણ કરે છે કેમ? ૭૦ખમા આ ગિરિરાજના મંદિરના શિખર પર ફરકતી ત ધજા ભવ્ય પ્રાણુઓને સંબોધન કરે છે કે હે ભવ્યાત્માઓ! તમે સંસારની માયામાં શા માટે ભમે છે ? અહીં આવો–તમારે દુઃખદાયક સંસાર પરિભ્રમણ નાશ થઈ જશે. આ સંકેત આપનાર આ તીર્થને છે પ્રાણીઓ તમે ભાવ ભક્તિથી નમે ૭૦ખમાત્ર
શ, ૨૩
(૧૭૭)