________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત
તે તીર્થેશ્વર પ્રણમીયે, સુખે શાસન રીત ૪૨ખમા સુંદર દેવાંગનાઓ ગિરિવરની ઉપર જિનેશ્વર ભગવંતના સુંદર ગીત ગાય છે. જૈન શાસનની આ રીત છે. આવા આ ગિરિરાજને નમન કરીએ. જરા
કવડ જક્ષ રખવાલ જસ, અહોનીશ રહે હજૂર છે
તે તીર્થેશ્વર પ્રણમીયે, અસુર રાખે દૂર ૪૩ખમાળા કવડજક્ષ આ ગિરિરાજની હમેંશાં રક્ષા કરે છે, ને હાજરાહજૂર રહે છે. વળી તીર્થના પ્રભાવે તે તમામ ઉપદ્રવને દૂર રાખે છે. આવા પ્રભાવવાળા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૪૩
ચિત્ત ચાતુરી ચકેસરી, વિપ્ન વિનાશરણહાર | તે તીર્થેશ્વર પ્રણમીયે, સંઘતણ કરે સાર ૪૪ખમા !
ચતુર એવા ચક્રવરી દેવી, ગિરિરાજની સેવા કરનારના વિદનને નાશ કરે છે, અને સંઘની સાર સંભાળ રાખે છે. એવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ ૪૪
સુરવરમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ તે તીર્થેશ્વર પ્રણમીયે, તિમ સવિ તીરથ ઈદ
પખમા
દેવતાઓમાં જેમ ઈન્દ્ર શ્રેષ્ઠ છે, ગ્રહોમાં જેમ ચંદ્રમાં શ્રેષ્ઠ છે, તેમ જુદા જુદા તીર્થોમાં આ તીર્થ સર્વથી શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય ! આ તીર્થેશ્વરને ભાવથી નમે ૪પા
દીઠે દુર્ગતિ વારણે, સમયે સારે કાજ | તે તીર્થેશ્વર પ્રણમીયે, સવિ તીરથ શિરતાજ પ૪૬ખમા
આ ગિરિરાજના દર્શન કરતાં તે દુર્ગતિનું નિવારણ કરે છે. તેનું સ્મરણ કરવામાં આવે તે પિતના કાર્યો સિદ્ધ થાય છે, આથી સઘળા તીર્થોમાં આ તીર્થ મુગટ સમાન છે, માટે છે ભળે ! આ તીર્થેશ્વરને ભાવથી નમે ૪૬ાા
પુંડરિક પંચ કટીશું, પામ્યા કેવલ જ્ઞાન ! તે તીર્થેશ્વર પ્રણમીયે, કર્મતણી હાય હાણ ૪૭ખમાળા
(૧૭૨)