________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
સેવન રૂપ રત્નની, ઔષધિ જાત અનેક તે તીર્થેશ્વર પ્રણમીએ, ન રહે પાતક એક પ૩રખમાળા
સુવર્ણ સિદ્ધિ કરવા માટેની, રૂપાની સિદ્ધિ કરવા માટેની ઔષધિઓ તેમજ અનેક પ્રકારના રત્નો આ ગિરિરાજ પાસે છે. આવા ગિરિરાજની આરાધના કરવાથી એક પણ પાપ રહેતું નથી. તે આવા તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે નમસ્કાર કરે ૩૨૫
સંયમધારી સંયમે, પાવન હોય જિણ ક્ષેત્ર | તે તીર્થેશ્વર પ્રણમીયે, દેવા નિર્મળ નેત્ર ૩૩ખમા
સંયમનું પાલન કરનાર સંયમી આ ગિરિના ક્ષેત્રમાં પાવન થાય છે. = તે પાપથી રહિત થાય છે. વળી આ તીર્થ નિર્મળ નેત્રને દેનાર છે. તે આ શ્રીતીર્થાધિરાજને હર હમેંશ નમસ્કાર કરીએ ૩૩
શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઓચ્છવ પૂજા સ્નાત્ર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પિષે પાત્ર સુપાત્ર ૩૪ખમાવો
શ્રાવકો આ ગિરિરાજ પર ન્યાય સંપન્ન એવા દ્રવ્ય વડે જે ઓચ્છવ, પૂજા, સ્નાત્ર વગેરે કરે છે, સુપાત્રને અને સામાન્ય પાત્રને પોષે છે, આથી તેમના આત્માને લાભ થાય છે. તે આપણે આ ગિરિરાજને ભાવથી નમસ્કાર કરીએ ૩૪
સ્વામિવાત્સલ્ય પુણ્ય જિહાં, અનંતગુણ કહેવાય ! તે તીર્થેશ્વર પ્રણમીયે, સેવન ફૂલ વધાય ૩૫ખમા
જે ગિરિરાજ પર સાધર્મિકની ભક્તિ કરવાથી અનંત પુણ્ય મળે છે, તેવા આ તીર્થરાજને સુવર્ણના કુલ વડે વધાવવો જોઈએ. એવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ ૩પ
સુંદર યાત્રા જેહની, દેખી હરખે ચિત્ત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ત્રિભુવન માટે વિદિત્ત ૩૬ખમાવો
ત્રણ મુવનમાં પ્રસિદ્ધ જ છે કે જેની યાત્રા અતિ સુંદર છે. કારણ કે એને જોઈને આત્મા અત્યન્ત હર્ષમાં આવે છે. તેવા આ તીર્થેવરને હે ભાગ્યશાળીઓ ! તમે ભાવથી નમન કરે સદા
(૧૭૦)