SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિત્વ ૭૧. દારૂબંધીના પ્રસંગ વખતે મુંબઈ સરકારે સુંદર કાવ્ય લખવા માટે ઈનામ જાહેર કરેલું, ત્યારે શ્રી માવજીભાઈને કાવ્યની યોગ્યતા જોઈ તેમને પ્રથમ ઈનામ આપેલું. તેઓ રેજ સવારના લગભગ પાંચ વાગે ઉઠી જતા અને શૌચાદિથી પરવારીને લેખન કે વાંચનની પ્રવૃત્તિ કરતા. આ રીતે લગભગ એક કલાક વીત્યા બાદ તેઓ દાતણું તથા ચાહપાણું કરી, સ્નાન કરતા અને ત્યારબાદ દેવદર્શનને વિધિ પતાવી, નવકારવાળીએ ગણવામાં નિમગ્ન થતા. પછી ભેજનાદિ પતાવીને દશની ગાડી પકડતા. તેઓ મુંબઈમાં આવીને સહુથી પ્રથમ શ્રી ગેડીપાર્શ્વ નાથના ભાવપૂર્વક દર્શન કરતા અને તેથી પિતાને કૃતાર્થ થયેલા માનતા. શિયાળે હેય, ઊનાળે હોય કે ચોમાસાના દિવસે ચાલી રહ્યા હોય, પણ શ્રી માવજીભાઈ શ્રી ગોડી પાર્શ્વનાથનાં દર્શન કરવાનું ચૂકતા નહિ. કદાચ કોઈ કાર્યવશાત્ શાળાએ જતાં પહેલાં તેમને દર્શન કરવાને સમય રહેતે નહિ, તે શાળાએથી છૂટીને તેઓ સીધા શ્રી ગોડી પાર્શ્વનાથનાં દર્શન કરવાને જતા અને ત્યાર પછી જ બીજાં કામ હાથ ધરતા. જેને શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે આ પ્રકારની શ્રદ્ધા હોય, તેના જીવનમાં કલ્યાણની કુમકુમ પગલીઓ પડયા વિના કેમ રહે? શાળાને સમય ૧૧ થી ૫ને રહેતા. તે દરમિયાન તેઓ એકધારું કામ કરતા અને ત્યાંથી છૂટ્યા બાદ સંગે અનુસાર સવાર-સાંજ એકાદ ટયુશન પણ આપતા. સાંજના કેટલાંક વર્ષો સુધી નેપચુન એસ્યુ કુ. લી. ના મેનેજીંગ
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy