SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પક અધિકાર કતપી તેને તે પ્રકારે નિશ્ચય કરે છે, પરંતુ સંસારમોક્ષ જેવા અગત્યના વિષયમાં આવી જમણાથી જેમ બને તેમ તુરત મુક્ત થવું એ દરેક જેનને આવશ્યક છે – આ શંકા:–આ સ્થળે એવી શંકા આવવી સંભવિત છે કે વસ્તુ સ્વરૂપને સંપૂર્ણ નિશ્ચય તે કેવળ જ્ઞાનવિના થઈ શકે તેમ તે નથી, તે પછી મિથ્યાદર્શનનો ત્યાગ, અને વસ્તુસ્વરૂપને સફનિશ્ચય કેમ થઈ શકે? એનું સમાધાન આ પ્રમાણે છેઃ–પદાર્થનું જ્ઞાન અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન તે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ઉપર આધાર રાખે છે, પરંતુ સમ્યગ્દશનને આધાર તે શાસ્ત્રકારે દર્શન મેહનીય કર્મના ક્ષપશમ ક્ષાયક તથા ઉપશમ ઉપર રાખેલે છે. મોક્ષમાર્ગમાં પ્રજનભૂત પદાર્થોનું યથાર્થ અથવા અયથાર્થ જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને, અવલંબી રહેલું છે; જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રગટ થયેલું જ્ઞાને સમ્ય. દૃષ્ટિના અભિધાનને પ્રાપ્ત કરાવી શકતું નથી. માત્ર પ્રજનભૂત પદાર્થોનું જ્ઞાન સમ્યગ્દષ્ટિના અભિયાનને પ્રાપ્ત કરી શકે છે; અલબત, સમ્યકત્વ પ્રાપ્તિમાટે જ્ઞાનાવરણીયના ક્ષપશમની અપેક્ષા છે, પરંતુ તેટલો તેટલે ક્ષયોપશમ તે સર્વ પંચેન્દ્રિય જીને હોયજ છે; દર્શન મેહ વ્યતીત થવા માટે જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ સમ્યકત્વ પ્રાપ્તિ માટે શાક્ષાત્ હેતુભૂત થતું નથી; દ્રવ્યલિંગી મુનિ અગિયાર અંગપર્યત ભણે તેપણ તે જ્ઞાન પ્રયજનભૂત પદાર્થોના શ્રદ્ધાનરહિત હોય તે મિથ્યાજ છે; અને સંક્ષિતિર્યંચાદિકના જ્ઞાનાવરણીય ક્ષયરામ ન્યુન હોય તે પણ પ્રયજનભૂત પદાર્થોના શ્રદ્ધાનસહિત હોવાના હેતુથી તે સમ્યગ્દર્શનના હેતુભૂત જ છે. આ ઉપર જ્ઞાની મહારાજ કહે છે કે – સમક્તિ વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં, અરહે પરહે અથડાય. સમતિ અડપવયણ ઘણું, પણ જ્ઞાની કહેવાય; અદ્ધ પુદગલ પરાવર્તામાં, સકલ કમ ક્ષય જાય, જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને અનુસરીને શ્રદ્ધાનની પ્રાપ્તિ નથી; દશન મેહના ઉદયથી જ મિથ્યાદર્શન, અને તેના વિલયથી પ્રજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન અથવા સમ્યકત્વ પ્રાપ્ત થાય છે; આ જગમાં પ્રયોજનભૂત પદાર્થ માત્ર એકજ અને તે એજ કે સુખને વેગ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ; તે સિવાય સર્વ કઈ પદાર્થ અપ્રજનભૂત અને નિષ્ફળ છે; તે પ્રયજનભૂત વસ્તુની સિદ્ધિ માટે જીવઅજીવ આદિના સત્ય શ્રદ્ધાનની જરૂર છે, કેમકે જ્યાં સુધી પિતે કેણ છે, અને પર કોણ છે, એ જણાયું નથી, ત્યાં સુધી સુખને ઉપાયે કેને વાસ્તે શેધાય? મિથ્યાત્વના એ આત્મા અને કમને સંગ તે બંધ, અને બંધનું કારણ આશ્રવ, ને આશ્રવને અભાવ તે સંવર, અને કથંચિત્ કમનો અભાવ તે નિજજ રા, અને સવથા, કમને અભાવ તે મોક્ષ, એમ પરંપર અવલંબનભૂત ઉત્તરોત્તર,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy