SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. સામ પ્રકારના દુઃખનાં બીજને બાળી નાખી સુખના ઉચ્ચતમ પગથીએ સ્થાપનાર છે. કનનું મિથ્યાપણું ટળી જતાં શનૈઃ શનૈઃ જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું વિ લય થઈ જવુંજ જોઈએ, એ નિયમ છે, તેટલામાટે મોક્ષમાર્ગના પ્રવક પુરૂષવએ માત્રયના વિધાનમાં સમ્યગ્દર્શનને પ્રથમ સ્થાન આપી, જ્ઞાન અને ચારિત્ર કરતાં તેને વિશેષ મહુત્ત્વ આપ્યું છે; કોઈ ભાગ્યવાનને દનનું સભ્યકત્વ પ્રાપ્ત થતાં, તેનું જ્ઞાન અને ચારિત્ર, યદ્યપિ ગમે તેટલા ન્યૂન અંશમાં હાય, તાપણ જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ ગણાવા ચાગ્ય છે; અને દર્શનના (સમ્યકત્વ) વિનાના જ્ઞાનાવરણીય કના ગમે તેટલા ક્ષયે પશમ અને ચારિત્રને ભાર ગઈ ભની પીઠ ઉપરના ચંદનવજનની માફક અત્યંત ન્યૂન ફળને ઉત્પન્ન કરનાર થાયછે. સમ્યગ્દનરહિત જ્ઞાન અને ચારિત્ર અમાસની રાત્રિમાં ઉડતા ખūાતની માફ્ક ભલે પ્રકાશવાળુ જણાય, અજ્ઞાનીની દૃષ્ટિએ તે ભલે સૂના જેવું પ્રભાવશાળી ગણાય, તથાપિ શાસ્રદષ્ટિએ તે પ્રકાશ કિંમત વિનાના છે. સમ્યગ્દર્શન એ મેક્ષ રૂપી ફળને ઉત્પન્ન કરનાર વૃક્ષનું ખીજ છે અને તે ખીજને રાખ્યા સિવાય જ્ઞાન અને ચારિત્રરૂપી ગમે તેટલું જળ સિંચન કરવામાં આવે તેપણ ત્યાં વૃક્ષના આરહણની આશા વ્ય છે, અને તેટલા ભારે પ્રયત્નના પરિણામે માત્ર વગડાઉ વેલા અને ઘાસજ ઉગી નીકળતુ જોવામાં આવશે. જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયે પશમની અથવા તેા ચારિત્રથી ઉત્પન્ન થતા કષ્ટની પાછળ સમ્યકત્વ અનુસરવા ખંધાયેલું નથી, કિંતુ સમ્યકત્વની પાછળ પૂર્વોક્ત ક્ષય વસ્તુઓ ખેંચાઇ ઘસડાતી આવેછે અને એક સમય માત્રને સમ્યગ્દર્શનને સ્પર્શ આપણી ઇચ્છા હોય કે અનિચ્છા હોય તાપણ વધારેમાં વધારે અપુદ્દગલ પરાવર્તન કાલમાં મેાક્ષમાં લઇ જાયછે, ટુકામાં સમ્યગ્દર્શનનાં જે યશોગાન શાસ્ત્રમાં કર્યા છે તેવાં ભાગ્યેજ બીજી કઇ વસ્તુનાં કરેલાં જોઇ શકાશે. તેની પ્રાપ્તિને મેાક્ષમાના ક્રમમાં બીજ નિક્ષેપરૂપે ગણી તેનું અત્યંત મહુત્ત્વ અને ગારવ પદે પદે દર્શાવ્યું છે; સમ્યગ્દર્શનને પ્રતિપક્ષી શબ્દ મિથ્યાદર્શન છે, આ જીવને અનાદિકાળથી જે ક સંબંધ છે, તે ક પૈકીના દન મેહુનામના કર્મના ઉદ્દયથી જે અતત્ત્વ શ્રદ્ધાન થાયછે, તેને મિથ્યાદર્શન કહેવામાં આવેછે; પટ્ટા જેવા રૂપે અવસ્થિત છે તેવા રૂપે તેને નિશ્ચય થવા તે સમ્યગ્દર્શન છે, મને જેવા રૂપે પદાર્થ અવસ્થિત નથી તેવા રૂપે તેનું દર્શન થયું તેને મિથ્યાદર્શન અથવા અતત્ત્વશ્રદ્ધાન કહેવામાં આવેછે. જો કે દશ્યન શબ્દના અર્થ સામાન્ય રીતે અવલેાકન એવા થાયછે, પરંતુ આ સ્થળે પ્રકરણાગે તેને અથ શ્રદ્ધાન એવા થઇ શકે, કારણકે સામાન્ય અ વલાકનરૂપ ક્રિયા કાઇ સંસારના મેાક્ષ જેવા મહત્ત્વના વિષયમાં કારણુરૂપ હાવી ઘટતી નથી, શ્રદ્ધાન એજ સંસારના મેાક્ષનુ કારણ હાવાથી આ સ્થળે દર્શનને અથ શ્રદ્ધાનરૂપે જાણવા જરૂરને છે, અને જે રૂપે વસ્તુ સ્વરૂપ નથી તેવે રૂપે તે વસ્તુનું શ્રદ્ધાન અથવા વિપરીત અભિનિવેશ તે મિથ્યાદર્શન છે, ત. ત્ત્વાર્થાભિગમ ગ્રંથના બીજા સૂત્રમાં ભગવાન સત્રકારે સમ્યગ્દર્શનની વ્યાખ્યા
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy