SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પરર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ મને વિજય મળશે. આવે–આ –ઉડા–ઉડા-ઉં-ડા-હદયના અંતસ્તમ પ્રદેશમાં શાંતિથી આવે. આજે આ જે પ્રયત્ન કર્યો તે નિત્ય હૃદયમાં ઉતરવાને–ચિતિશક્તિના મંદિર પ્રતિ જવાનો પ્રયત્ન શાંતિથી, સ્વસ્થતાથી કર્યા કરજે. જ્યારે જ્યારે અવકાશ મળે, ત્યારે કરજે. નિયમિત સમયે કરજે. આજે જે સમયે કરે, તેજ સમયે કાલે કરજે. આગ્રહથી કરતાજ રહેજે. આકુળવ્યાકુળ થશે નહિ. કંઈ જણાતું નથી, એમ તાલાવેલી કરી, નેત્ર ઉઘાડી બહાર નાશી આવશો નહિ. પણ ધૈર્યથી, પૂર્ણ શ્રદ્ધાથી, અવશ્ય ચિતિશક્તિનાં દર્શન થશે, એવી પ્રતિક્ષણ પૂર્ણ આશા ધારી, પ્રયતને સેવ્યા કરશે અને આ પ્રકારે ક્રમે ક્રમે એકાગ્રતા વધતાં, એકાગ્રતાનું બળ જામતાં, તમારા શુદ્ધ પ્રેમથી પરમાત્માને અનુગ્રહ થતાં, એકાદ દિવસે તમે અનુમાન પણ નહિ કર્યું હોય તેવી ક્ષણે, હૃદયમંદિરનાં દ્વાર આપોઆપ ઉઘડી જશે અને અનંતેશ્વર્યાધિપતિ, જ્ઞાનના, શાંતિના, સુખના મહોદધિ પરમાત્મા તમને પ્રત્યક્ષ થશે.* અહો! તે સમયને તમારે આનંદ, તે સમયનું તમારું સુખ, તે સમયનું તમારા હૃદયમાં પ્રકટતું અનવધિ જ્ઞાન, તે સમયનું તમારું અમર્યાદ સામ! અહો ! વાણું તેને વર્ણવવા સમર્થ નથી. તો વાવો નિવતન્ત અકાળ મનના સહ-મન, વાણી, બુદ્ધિ તમારા તે અલકિક, અવર્ણનીય પ્રભાવને જોઈ જાણું સ્તબ્ધ થઈ જાય છે. તમે મનુષ્ય મટી ઈશ અને ઈશના પણ ઈશ થાઓ છો. તમે મૃત્યુલેકમાં અમરભાવને પામે છે. તમે દુઃખથી પૂર્ણ ગણાતા સંસારમાં બ્રહ્મસદનને અનુભવ કરે છે. તમે ઉંચે અને નીચે તથા આઠે દિશામાં આનંદ, આનંદ અને આનંદમાં લીન થઈ આનંદસ્વરૂપ થઈ જાઓ છે. ' નેત્ર મીંચી હૃદયમાં ઉપર કહ્યા પ્રમાણે ઉતરતાં તમને ચિતિશક્તિનાં દર્શન ન થાય, તે તેથી નિરાશ થશે નહિ, તેમ પ્રયતને ત્યાગ કરશે નહિ. શું તમે એમ માને છે કે જમીનમાં ગેટલે રે કે બીજીજ ક્ષણે કેરીઓ આવવી જોઈએ અને રોટલીનું ભોજન મળવું જ જોઈએ? શું તમે એમ માનો છો કે ઘરના પાયા દવાને કોદાળી ઉંચકી કે બીજીજ ક્ષણે સુંદર મહાલય બંધાઈજ જ જોઈએ? તમે આવી બાબતમાં તાલાવેલી કરનારને મૂર્ખમાં ગણું કાઢે છે અને તેને ધૈર્યથી દીર્ઘકાલ પ્રયત્ન કરવાને બંધ આ પિછો, તે એ બધા તમે પોતે ગ્રહણ કરવામાં કેમ અજ્ઞાન સૂચવે છે? ચિતિશક્તિનું દર્શન થવું, એ તે ફળ છે અને તે ફળ તમને પહેલે દિવસે ન જણાયું માટે પ્રયત્નમાં કાંઈ માલ નથી, એમ શું માનવાનું? બી રેપ્યા પછી કલાકે અંકુર ન નીકળે એટલે રોપવાનો પ્રયત્ન નિષ્ફળ છે, એમ માનવાનું? * એટલે શુદ્ધ સમ્યકત્વ પ્રકટ થશે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy