SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પિ૦૦ વ્યાખ્યાન સાહિત્યસંહ–ભાગ ૨ એ. વિમ જેમ અંકુશવિના મદોન્મત્ત હાથી નિયમમાં રાખી શકાતું નથી તેમજ અહિં માર્ગ છોડીને કુમાર્ગે ચાલવાવાળો મનરૂપી મહાન હાથી જ્ઞાનરૂપી અંકુશવિના મનુષ્યથી વશ કરી શકાય તેમ નથી. ૪૬. જ્ઞાન મનુષ્યનું ત્રીજું નેત્ર છે. ज्ञानं तृतीयं पुरुषस्य नेत्रं, समस्ततत्त्वार्थविलोकदक्षम् । तेजोऽनपेक्ष्यं विगतान्तरायं, प्रवृत्तिमत्सर्वजगत्रयेऽपि ॥ ४७॥ સમગ્ર તાના અર્થને બતાવવામાં ચતુર, તેજોમય, વળી જેને બીજા તેજની અપેક્ષા નથી, વિઘરહિત, તેમ ત્રણ જગત (સ્વગ, મૃત્યુ અને પાતળ). માં પણ પ્રવૃત્તિવાળું એટલે સમસ્ત પદાર્થને જાણવાવાળું જ્ઞાન તે પુરૂષનું ત્રીજું નેત્ર છે. ૪૭. જ્ઞાનહીન મનુષ્ય કેવળ પશુજ છે. धर्मार्थकामव्यवहारशून्यो, विनष्टनिश्शेषविचारबुद्धिः। रात्रिंदिवं भक्षणसक्तचित्तो, ज्ञानेन हीनः पशुरेव शुद्धः ॥ ४८॥ કુમવિતરણોë. ધર્મ, અર્થ, કામ અને વ્યવહારથી પણ અન્ય, તેમ જેનામાં સમગ્ર વ સ્તુને વિચાર કરવાની બુદ્ધિનાશ પામી છે અને રાત્રિદિવસ ભક્ષણ (આહાર). માં જેનું ચિત્ત આસક્ત થઈ ગયું છે એવી રીતે જે મનુષ્ય જ્ઞાનથી રહિત છે તે શુદ્ધ ( ખે) પશુજ છે. ૪૮. જ્ઞાન સર્વ કલ્યાણનું આદિ કારણ છે. શાવિડિત (૩૧-૫૦). ज्ञानं स्यात्कुमतान्धकारतरणिनि जगल्लोचनं, ज्ञानं नीतितरङ्गिणीकुलगिरिर्ज्ञानं कषायापहम् । ज्ञानं निर्वृतिवश्यमन्त्रममलं ज्ञानं मनःपावनं, ज्ञानं खगतिमयाणपटहं ज्ञानं निदानं श्रियः ॥ ४९ ॥ જ્ઞાન મુસિત (જાડા) મતરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે, જ્ઞાન સમગ્ર જગત્નું નેત્ર છે, જ્ઞાન નીતિરૂપી નદીનું ઉત્પત્તિસ્થાન એવા મેરૂપર્વતરૂપ છે અને જ્ઞાન કષાય (ક્રોધ, માન, માયા અને લેભ) નો નાશ કરનારું છે. જ્ઞાન આનંદને વશ કરવામાં મંત્રરૂપ છે અને જ્ઞાન પોતે નિર્મળ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy