SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસબ્રહ– ભાગ ૨ બવેમ નને નાશ થય ગણાય. તેથી સમજુ પુરૂષે લક્ષમીમાં સર્વ અવગુણે જોઈને તેને ધર્મમાર્ગમાં ઉપયોગ ત્વરાથી કરી લે છે. એટલે લક્ષમી મેળવ્યાનું ફળ મેળવી લીધું. કહેવાને ભાવ એ છે કે ધર્મ રસ્તે લક્ષમીને વાપરી તેને ખરે લાવ લે. કારણકે તે ચંચળ હવાથી ચાલી જવામાં વાર લાગશે નહિ. ૯. મજબૂત સ્થાનમાંથી પણ લક્ષ્મીનું ગેબ થવું. आदावेव महाबलैरविचलं पट्टेन बद्धा स्वयं, रक्षाध्यक्षभुजासिपञ्जरता सामन्तसंरक्षिता । लक्ष्मीर्दीपशिखोपमा क्षितिमतां हा पश्यतां नश्यति, प्रायः पातितचामरानिलहतेवान्यत्र का सा नृणाम् ॥ १० ॥ आत्मानुशासन. પ્રથમ તો મહા બળવાન રાજાઓ ન ચલાયમાન થાય તેમ જેને રાજશાસનથી એટલે હુકમથી પોતેજ તેજુરીમાં બાંધી મૂકે છે અને ત્યાં રક્ષાધ્યક્ષ (ખજાનાની રક્ષા કરનાર પુરૂષ) ના હાથમાં રહેલી તરવારરૂપી પાંજરામાં ઘેરાયેલી છે. તેમ જુદા જુદા દેશોનું રક્ષણ કરનાર સામતેથી જે સુરક્ષિત છે. એટલું છતાં પણ દીવાની શિખાસમાન લક્ષ્મી (ધન) ઘણું કરીને આમ તેમ ચાલતા ચામર (પંખાઓ) ના પવનથી જાણે ઉડેલી હોય તેમ હા! ખેદ છે કે! રાજાએ જોતાં છતાં (નજરોનજર ) ઉડી જાય છે. ત્યારે બીજે ઠેકાણે મનુષ્યની તે લક્ષ્મી નાશી જાય તેમાં શું કહેવું? ૧૦. ધનની અસ્થિરતાનું સ્મરણ કરી એક વિદ્વાન્ પિતાના ચિત્તને કહે છે. यम्मै वं लघु लङ्घसे जलनिधि दुष्टाटवी गाहसे, मित्रं वञ्चयसे विलुम्पसि निजं वाक्यक्रम मुश्चसि । तद्वित्तं नहि दृश्यते स्थिरतया कल्यापि पृथ्वीतले, रे रे चञ्चलचित्त वित्तहतकं व्यावर्ततां मे सदा ॥ ११ ॥ ___ काव्यमालागुच्छक-सप्तम. હે ચિત્ત! તું જે (ધન) માટે મહાસાગરને એકદમ ઓળંગી જાય છે. ભયાનક જંગલમાં વિચરે છે, મિત્રને છેતરે છે, પિતાનાને લુંટી લે છે અને વાજ્યના કમને (વિનયયુક્ત વચનસમૂડને) મૂકી દે છે. તે ધન પૃથ્વીતળમાં કે
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy