SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ. - ૩૬૯ અવસાનકાલ-અધિકાર અવસાન-ગધિવો. – - હું જ્યાં છે અજ્ઞાનનું સામ્રાજ્ય ચાલે છે અને જ્યાં ગ્ય ઉપદેશને આદર નથી 399689 મળતો ત્યાં મનને કમકમાટી ઉપજાવે એવા વહેમની પ્રબળતા કેટલી વધી પડે છે તથા સામાન્ય વિચારશક્તિને પણ કેટલી દૂર હાંકી કહાડવામાં આવે છે તેનું ભાન કરાવવાને અવસાનકાળ અધિકાર લઈને તેમાં કેવું અતેડું કરી છેવટના સમયમાં પણ પ્રાણી પર નિર્દયતા વપરાય છે અને પિતાના તિરસ્કારપાત્ર વહેમને વળગી રહેવાય છે તે બતાવીએ છીએ. મરણાતુર ઉપર દયાને બદલે જુલમ. " (રાગ ઉપર પ્રમાણે.) , , એ અણસમજુ, અર્ધ મુઆને મારી કાં પૂરું કરે? જીવતા જમદૂત! છાતીપર ચડી ઘેરો શું કઠે છ–-ટેક. બહુ વૈદ્ય બન્યાં ડોસા ડેશી, આવ્યાં આડેરી પાડેશી, પુછે સા ડાચું શી ખોશી એ અણસમજુ ૧ કોઈ નાડ તપાસે છે જાતે, કઈ કરપગ પટ જુએ માથે, અડીને ટાઢા બળજ હાથે, બેઠાં છે ખાટલાને વીંટી, બહુ વાત કરે દીઠી અદીઠી, જાણે વાંચે છે જમની ચીઠ્ઠી, ટાઢક વળી કે કંઈવાર હજી, એમ અન્ય અન્ય કરે અરજી, જાણે ઝટ્ટ મરે એવી મરજી, બહુ વઢત જીભ જે હોત કદી, મનમાં માનીયે માત્ર મદી, પણ શું કરે વાચા બંધ બધી, તા મૂળ ટક ટક માંદાને ન ગમે, જીવ બહુ ઘમતળ ભયમાંહિ ભમે, ધમણની પેઠે બહુ ધાસ ધમે, ના શિર પડ્યું ઢોલિયામાંહિ ઢળી, જન જોઈ પાસ બહુ જાય છળી, જાણે ફરતી જમની જમાત મળી, બે ચાર એશિકે ચડી બેઠાં, વળી બે ત્રણ પાંગતમાં પેઠાં, બાકીનાં બધાં બેઠાં હેઠાં, આગળથી કરી મૂકી તૈયારી, ઘત દીપ અને ગંગાવારી, લીંપી ભય કરી ભીની ભારી,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy