________________
આ પરિદ્ધિ,
વહેમ-અધિકાર
હ૧
બુમ સુણી બહુ લેકે કારણ પૂછ્યું તે કહે, છે તે ઘર ઠીક પણ બીક બહુ લાગે છે; નકી ભૂત થાય મરી જાય જે નવા ઘરમાં, આ ઘરમાં ભાઈ ભારે ભૂતાવળ જાગે છે; રાત અરધોક જ્યારે જાય દલપતરામ, ઘણણણ ધણણણ, ઘંટડી વાગે છે
ઈંદ્રવિજય છંદ. મારણ મંત્ર ખચીત ક્ષમા, | મન મેહન મંત્રી રૂડી ચતુરાઈ; સ્તંભન મંત્ર સદા સનમાન, - પ્રકર્ષણ મંત્ર સનેહ સચાઈ; એમ ઉદ્યોગપણુંજ ઉચાટન,
વાણિ ભલી વશ કારક ભાઈ; અન્ન સજીવન ઔષધી છે,
દલપત્ત કહે જળમાં અમૃતાઈ;
છો . રવિને શિર રિપુ રાહુ, ચંદ્ર ક્ષય રોગી આ૫, મંગળ છે અંગાર, બુધ શિર કલંક છાપ ગુરૂએ ગુમાવિ નારી, શુક્ર આંખે છે કોણે, શનિ લુલે સર્વદા, રાહુ શિર વિના ગણાણે; વળી કેતુને તે ધડ નથી, એમ ન દુખીયા થયા; ગ્રહ નડવાથી જ દુઃખ થાય તે, ગ્રહને ગ્રહ નડયા કિયા.
૬
મનહર છંદ. સીતા પતિએ ન જાયું સીતાનું હરણ થશે, સીતાએ ન જાણ્યું જે સંન્યાસી પ્રતિકૂળ છે; દેવપતિએ ન જાણું દમયંતી નહિ પામું, નારદે ન જાણું માની તે માયામૂળ છે;