SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૨૯ અગ્નિ-ને વિષે આઠ પ્રકારના કર્મને જેણે હેમ કર્યો છે, ધર્મધ્યાનાદિ પરિણમયુક્ત, શુદ્ધ આચાર પ્રવૃત્તિરૂપ બ્રહ્મ વિષે સ્થિત થઈને કર્મસમૂહને જેણે ક્ષય કર્યો છે; એવા મુનિ સુવિચારરૂપ મહામ કરીને યુક્ત છે અને નિયાગ એટલે અતિશયે કરીને પરમેશ્વરની પૂજામાં ગૌરવવાન છે. ૧. જ્ઞાનયજ્ઞમાં આસક્તિ રાખવાની ભલામણ पापध्वंसिनि निष्कामे, ज्ञानयज्ञे रतो भव । सावयैः कर्मयज्ञैः किं, भूतिकामनयाखिलैः ॥२॥ શબ્દાર્થ–પાપને નાશ કરનાર અને અભિલાષારહિત એવા જ્ઞાનમય યજ્ઞને વિષે પ્રીતિવાળા થાઓ. વિભૂતિમાં અભિલાષાએ કરીને મલિન એવા સાવધ યએ કરીને શું લાભ? વિવેચન–અશુભ કર્મને જે નાશ કરે છે અને નિખિલ અભિલાષ જેમાંથી ચાલ્યા ગયે છે, એવા સ્વપર સ્વરૂપ અવભાસી અને વિશુદ્ધકારી બેધરૂપી યજ્ઞમાં પ્રીતિવાળા થાઓ. ભૂતિ એટલે સુખસંપત્તિ, તેની અભિલાષાએ કરીને મલિન અને પશુવધાદિ પાપમય અર્ટોિમાદિથી કયું કાર્ય સિદ્ધ થાય છે? અથતુ કંઈ સિદ્ધ થતું નથી. ૨. હિંસાયુક્ત યજ્ઞ એ બંધનરૂપ છે. वेदोक्तखान्मनःशुद्ध्या, कर्मयज्ञोपि योगिनः । ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति किम् ॥ ३॥ શબ્દાર્થ કેઈ કહે છે કે વેદોક્ત હેવાથી કર્મયજ્ઞ પણ મનશુદ્ધિએ કરીને બ્રહ્મયજ્ઞ છે, એવી ઈચ્છાવાળા રોગીઓ સ્પેનયાગને શામાટે તજે છે? વિવેચન-પૂર્વોક્ત પશુવાદિ ક્રિયારૂપ યજ્ઞ જે કે હિંસામય છે તે પણ તે કરવાનું વેદશાસ્ત્રમાં કહ્યું છે, તેથી વેદમાં જે કહ્યું છે તે કરવામાં દેષ નથી, તેથી મનશુદ્ધિના હેતુએ કરીને-કર્મયજ્ઞથી ચિત્તની વિમલતા થાય છે એવું હેતુએ કરીને પૂર્વોક્ત યજ્ઞ જ્ઞાનમય થાય છે, એવું ઈચ્છવાવાળા કર્મયની અભિલાષાવાળા યાગીઓ સ્વૈનયાગને કેમ ત્યાગ કરે છે? વેદમાં કહ્યું છે કે “નિમિત્તાન નેત’ માટે ચેનયાગ પણ વેદત છે તેથી મનશુદ્ધિ કરશે. માટે તેને ત્યાગ કેમ કરે છે તેથી સર્વ પ્રકારના હિંસક ય મુમુક્ષુએ તજવા ચગ્ય છે. ૩. ૧૭
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy