SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ. આત્મસત્તાઅધિકાર. ૫ તે વિચાર જ્યાંથી ઉત્પન્ન થાય છે, ત્યાં જઈ વિરમે અને ત્યાં જઈ પરમાત્માના સ્વરૂપ સામર્થ્યને વિચાર કરતા પરમાત્માનું ધ્યાન કરે. આમ કરવાથી તમારા હાથમાં પરમાત્મા આવી જશે એમ ન માનશે, આ તે એક અભ્યાસ કરવાનું સૂત્ર છે, પણ તેજ પ્રમાણે દરરોજ નિયમસર એકજ સૂત્ર–દેડા વિચારને વળગી આગળ અને આગળ તેના મૂળ સ્થાને જવાની ટેવ પાડો. વચ્ચે વિધિ વિચારોરૂપી વિદનો ઉઠે તે તે તરફ લક્ષ ન આપતાં તમે જે પરમાત્માનું સંધાન કરાવનાર વિચારરૂપ દેરડાને ઝાલ્યું છે, તેજ દેરડે વળગી રહી આગળ અને આગળ ચાલ્યા કરે, જે દેરડું મુકી દઈ બીજા દોરડારૂપી વિચારમાં તણાયા તે પછી તરતજ પાછા રબ્બડનું દેરડું જેમ હાથમાંથી છટકે અને જ્યાં હોય ત્યાંનું ત્યાં જઈ બેસે તેમ તમે પાછા જ્યાં હશે ત્યાંના ત્યાંજ જશે, માટે આ પરમાત્માકાર કરાવનાર એકજ વિચારને વળગી રહેશે, તે અંતે સામઈધિમાં સનાન કરશે. * તમારા આત્મામાં હુમેલીને થઈ જશો એટલે દૃશ્ય જગતને સર્વ વિસ્તાર હમારી આગળ છેક પાતળો થઈ જશે. હમે હેને ગમે તે આકાર આપી શકશે અથવા તે કપૂરની પેઠે ઉડી જશે. “હું દેહ નથી” એમ સમજાતાંજ સર્વ શારીરિક વ્યાપાર, સંબંધ અને બંધને કેવળ રમકડાં જેવાં ભાસશે. એ સર્વ નાટકની રંગભૂમિ ઉપરના પાત્રોનાં કામ છે. રંગભૂમિ ઉપરના પાત્ર તરીકે એક મનુષ્ય હારે શત્રુ હોય છે, બીજે મહારે મિત્ર બને છે, કઈ પિતા થાય છે તે કઈ પુત્ર થાય છે. પરંતુ વસ્તુતઃ હું પુત્ર પણ નથી અને પિતાએ નથી. એ શત્રુ મિત્રો પણ ખરેખર શત્રુ મિત્ર નથી. હું કેવળ બ્રહ્મ છું, સંસારી બંધને અથવા સંબંધ હને બાંધી શક્તાં નથી. સવ સંબંધ માયાવી છે. રંગભૂમિ ઉપર સર્વ પાત્રએ પિતપતાને પાર્ટ બરાબર ભજવવું જોઈએ, પરંતુ જે નાટકમાંનો પ્રેમ અને છે ખરાં ગણીને પિતાના શરીર પર તે ગહેરી લે છે તે કેવળ મૂર્ખ છે. તેવી જ રીતે આખું જગત્ જ્યારે નાટકને એક સીન-દેખાવ–જ છે તે કર્તવ્યના બાહ્ય સ્વરૂપને બીન જરૂરી મહત્વ શા માટે આપવું? એક રાજા હોય તે હેની અદેખાઈ શા માટે કરવી? કિવા બીજે રંક હોય તે તેને તિરરકાર કરવાને આપણને શું અધિકાર છે? ધારો કે એક ન્યાયાધીશ છે તે ન્યાયમંદિરમાં આવે છે અને પિતાને ને બેસે છે. વાદી પ્રતિવાદીઓ, કારકુને, વકીલે, નેકર ચાકર અને બીજા લોકો કયારનાએ હેની રાહ જોતા હેને માલુમ પડે છે. ન્યાયાધીશને સાક્ષીને બોલાવવા કે વકીલેને નિમંત્રણ આપવા જવું પડતું નથી. વાદી પ્રતિવાદીને લાવવા પડતા સ્વામી રામથીય ગ્રંથ ૧ લો.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy