SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સુસ'ગતિ--અધિકાર. ૨૧૩ જે સમથે પ્રજાના મેટા ભાગ અશુદ્ધ વિચારને સેવતા હોય છે તે સમયે અંતઃકરણુને પવિત્ર રાખવાનું કાય નિકટ હાય છે, એવુ જે કોઇ કોઇ સ્થળે પ્રતિપાદન કરાયલું છે, તે કેવળ સત્ય છે. જેમ જેમ શુદ્ધ વિચારને સેવનાર ઘણા મનુષ્યા થાય છે, તેમ તેમ તે સ્થળે શુદ્ધ વિચારનું વાતાવરણ બંધાતું જાય છે, અને જેમ જેમ અશુદ્ધ વિચારને સેવ નાર ઘણા મનુષ્યા થાય છે, તેમ તેમ તે સ્થળે અશુદ્ધ વિચારનુ વાતાવરણુ બંધાતુ જાય છે; અને આથી જ કરીને જે સ્થળે નિરંતર શુદ્ધ વિચારા સેવાતા હાય છે, એવા સત્પુરુષાના આશ્રમમાં પ્રવેશ કરતાં મનુષ્યાને અનાયાસ પેાતાના વિકાર દખી ગયેલા ભાસે છે, તથા શાંતિનું ભાન થાય છે, અને જે સ્થળે નિરંતર અશુદ્ધ વિચારા સેવાત! હાય છે, એવાં કસાઇખાનાંમાં, ખુન વગેરે ઘાર કર્માં થતાં સ્થળામાં, અયેાગ્ય શૃગારને ભજવનારાં નાટકગૃહેામાં, તથા એવાં જ વિવિધ દોષવાળાં સ્થળેમાં પ્રવેશ કરતાં, મનુષ્યેાના વિકારા અનાયાસ ઉદ્ભવે છે, પુષ્ટિને પામે છે, તથા તેઆના રાજસ તામસ ગુણુ વધી તેમને વ્યાકુળતા તથા અશાંતિનું ભાન થાય છે. આમ હાવાથી સુખ અને શાંતિને સત્ર પ્રવર્તાવવાની ઇચ્છા રાખનારે વિચારનુ વાતાવરણ સુધારવું, એ તેમનુ' પ્રથમ કવ્ય છે. આ પ્રમાણે કહી આ સુસ'ગતિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ગ્રંથ સંગ્રહિતા. નીતિ. विनयविजय मुनिनायं, तृतीयपरिच्छेद एवमत्रैव । ग्रथित सुगमार्थ तु, व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ ( વ્યાખ્યાનસાહિત્યસ`ગ્રહ નામના ) ગ્રં’થના તૃતીય પરિચ્છેદ્ર વ્યાખ્યાન કરનારાએ ( અને શ્રાતાએ ) ની સુગમતા માટે સ ંગ્રથિત કર્યાં છે; તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાવીએ। ( અને શ્રેતાવગ ) ના આ નઢને માટે થાઓ. तृतीय परिच्छेद परिपूर्ण. ૧ ચાર ગ્રહણ કરવાથી મોટ્ટા એ શબ્દ અધ્યાહાર છે એમ સૂચવે છે,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy