SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કૌશલ્ય [૧૪] (૬૮) તે સખાવત બૂરી ચીજ છે જે સ્વાતંત્ર્યને ખ્યાલ ભુલાવે છે અને જે સંન્યાસીમાંથી આવકારદાયક શરમને વીસરાવે છે. સખાવત દરેક માણસે કરવી જોઇએ, પછી તે રૂપિયાનું, નેકરીનું, અથવા ગમે તે રૂપ લે પણ સખાવત વિચારણા માગે છે. રેબઈ સધે નામનો લેખક કહે છે કે તમે ગમે તેવી સખાવત કરે તેમાં અમને વાંધો નથી, પણ તેમાં બે વાતને ખ્યાલ રાખજે. એક તે એ સખાવત કરતી વખતે સામા માણસના સ્વાતંત્ર્યને બરાબર સ્થાન હોવું જોઈએ. ઘણા માણસો સખાવત કરતી વખતે ધ્યાન ન રાખવાને પરિણામે સામાના સ્વાતંત્ર્ય ઉપર ઘા કરે છે અને જાણે સખાવતને લેનાર માણસ હલકો હેય તે ખ્યાલ કરવા મંડી જાય છે. તેમ ન જોઈએ. સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવાની ભૂલ સમજુ માણસ તે ન જ કરે, પણ છીછરીઆ સખાવત કરનાર અથવા પિતાની નામના કાઢવા ખાતર સખાવત કરનાર જાણે અજાણે આ પ્રકારની ભૂલ કરે છે અને સામો માણસ જાણે કે પરતંત્ર હોય તેમ વર્તવા લલચાઈ જાય છે, તેમને કહેવામાં આવ્યું છે કે એમાં તમારી મોટી ભૂલ થાય છે, તમારો હક સખાવત કરવામાં સામાની એટલે સખાવત લેનારના સ્વાતંત્ર્યને એક પણ સ્થાનકે ઘાત કરશે તો તે સખાવતના નામને યોગ્ય નહિ રહે, માટે તમારે સખાવત કરવી હોય તે ઇ જાઓ, પણ સામાના સ્વાતંત્ર્યને કદાપિ પણ હણશો નહિ. સ્વાતંત્ર્ય હણવાને ખ્યાલ સરખે કરશો તે તમે સખાવતને મારી નાખશે અને તમારો ઇરાદે હશે કે નહિ હોય તે પણ તમે પાપના પિટલાં બાંધશે. છે. બીજી ચિત છે તે પણ સખાવતના-એગે સગા વ્યા જેવી
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy