SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન ૬૧ પુદ્ગલની પરાધીનતાને નાશ કરનાર, કર્મ જંજીરોને ગેડી નાંખનાર અને કેવળજ્ઞાનને પ્રગટ કરનાર સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારેય હોવા છતાં, સમ્યગૂદર્શન વિના અન્તિમ ત્રણેયની કિંમત એકડા વિનાના મીંડાં જેવી છે. જ્ઞાન શુદ્ધિને આધાર દર્શનશુદ્ધિ અર્થાત્ સમ્યકત્વ છે. તેવી રીતે ચારિત્ર શુદ્ધિને આધાર જ્ઞાન શુદ્ધિ છે. જેને જ્ઞાન શુદ્ધિ હોય તેને જ ચારિત્ર શુદ્ધિ હોઈ શકે છે. આ ઉપરથી સમજી શકાશે કે ચારિત્ર શુદ્ધિના ઈચ્છકે જ્ઞાન શુદ્ધિનું લક્ષ્ય, પહેલું રાખવું જોઈએ. ઉપગ શુદ્ધિ એ જ જ્ઞાનશુદ્ધિ છે. સમ્યકત્વ વિનાનું જ્ઞાન તે અશુદ્ધ જ્ઞાન છે-અજ્ઞાન છે. અજ્ઞાશામાં ગમે તેટલું ઉત્કૃષ્ટ તપ અને ત્યાગ હોવા છતાં તેનાથી ચારિત્ર શુદ્ધિ હોઈ શકતી નથી. જ્ઞાન, ચારિત્ર અને તપની શુદ્ધિ માટે પ્રથમ સમ્યગૂદર્શનની આવશ્યકતા છે. સમ્યગ્ગદર્શન પૂર્વકનું જ્ઞાન જ સમ્યગજ્ઞાન સ્વરૂપે બની રહે છે. અને સમ્યગૂજ્ઞાન પૂર્વક વર્તતા જ્ઞાને પગમાં જ ચારિત્ર શુદ્ધિ વતે છે. જ્ઞાનની શુદ્ધિ તે સમ્યકત્વ અને જ્ઞાનની અશુદ્ધિને મિથ્યાત્વ છે. ખરે જ્ઞાતા તે સત્ય આત્મા જ છે. આ આત્માની મિથ્યાત્વ (વિપરીત શ્રદ્ધા) ના કારણે જેટલી પરાધીન સ્થિતિ છે, તેટલી જ અશુદ્ધતા છે. શેય પદાર્થના જ્ઞાનમાં છવસ્થ અને અન્ય ઉપર આધાર છે. બુદ્ધિ અને મનનાં ચશ્માં
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy