SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિજ્ઞાન-ભાગ ૨ સ્વરૂપે છે, એટલે જ ભેદ હોવાના કારણે દર્શન અને જ્ઞાન- સ્વરૂપે ભેદો છે. એટલે સામાન્ય મનુષ્યને એ જ વિચાર આવે કે જેટલા જ્ઞાનના ભેદો દર્શાવ્યા છે, તેટલા જ ભેદો દર્શનના પણ હોવા જોઈએ. કારણ કે જ્ઞાનની પ્રારંભ ભૂમિકામાં દર્શન છે જ. એટલે જ્ઞાન તે પાંચભેદે દર્શાવ્યું છે, તેમ દર્શન પણ પાંચભેદે હોય. પરંતુ આ રીતની સમજણ વ્યાજબી નથી. કારણ કે શામાં આત્માના જ્ઞાન અને દર્શનનું સ્વરૂપ સમજાવવા સાથે જ્ઞાનના પાંચભેદ દર્શાવી, દર્શનના ચારભેદ દર્શાવ્યા છે. અને તે જ વ્યાજબી છે. તેની સમજણ નીચે મુજબ વિચારવાથી સ્પષ્ટ સમજી શકાશે. (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન - અને (૪) કેવળદર્શન એમ ચારભેદે દર્શન છે. અહિં જ્ઞાનમાં જેમ મતિ અને શ્રુત સંજ્ઞા આવી તેમ દર્શનમાં તે બન્નેમાંથી એકેય સંજ્ઞાવાળું દર્શન નથી. એવી રીતે જેમ મન:પર્યવની સંજ્ઞાવાળું જ્ઞાન છે, તેમ તે સંજ્ઞાવાળું પણ દર્શન નથી. તેની સ્પષ્ટતા દર્શાવતાં કહ્યું છે કે, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ મતિજ્ઞાનની જ પ્રાથમિક ભૂમિકા છે. પરંતુ તે બનેનાં નામ મતિદર્શન નહીં હોવાનું કારણ એ જ છે કે દર્શનમાં ચક્ષુઇન્દ્રિયનું મહત્ત્વ અધિક છે. ચક્ષુના મહત્ત્વના કારણે એક - ભેદ ચક્ષુના નામે અને બીજે ભેદ, શેષ ઈન્દ્રિયે અને મનના હિસાબે અચક્ષુનામે રાખે છે. વળી શ્રુતપ્રાપ્તિમાં વર્તાતી ચૈિતન્યશક્તિ હંમેશાં સવિકલ્પક હોવાથી શ્રુતજ્ઞાનની માફક મૃતદર્શન પણ હોઈ શકતું નથી. સવિકલ્પકપણું તે વિશેષ ધબ્રાહ્ય છે. એ પ્રમાણે મન:પર્યવદર્શન પણ ન હોય. કારણ
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy