SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિજ્ઞાન-ભાગ ૨ આત્માના આ ગુણોને સ્વીકાર, છદ્મસ્થ (અસર્વજ્ઞ) જીવે માટે આપ્તપુરૂષના વચન વિશ્વાસ ઉપરાંત અબાધિત અનુમાન પ્રમાણથી પણ થઈ શકે છે. જ્ઞાન એ પદાર્થ સ્વરૂપની વિશેષબોધક ચેતનશક્તિ અને દર્શન એટલે પદાર્થ સ્વરૂપની સામાન્ય બોધક ચેતનશક્તિ રૂપ છે. વસ્તુતાએ તે બને જ્ઞાનસ્વરૂપે જ છે. પરંતુ સેયપદાર્થને સામાન્ય સ્વરૂપે જાણવા ટાઈમે વર્તતી ચેતના તે દર્શનસ્વરૂપે ઓળખાય છે. અને રેયપદાર્થને વિશેષરૂપે સ્પષ્ટરૂપે જાણવાટાઈમે વર્તતી ચેતના તે જ્ઞાનસ્વરૂપે ઓળખાય છે. યપદાર્થ, ઈન્દ્રિયગ્રાહ્ય થવા ટાઈમે પ્રથમ તે એ અમુક વસ્તુ છે. એટલે જ જીવને જે ખ્યાલ આવે છે, તે દર્શન છે. અને ત્યારબાદ તે વસ્તુ આવી છે, આવા રવરૂપે છે, માટે અમુક હોવી જોઈએ, અને આ તે જ વસ્તુ છે, એમ સ્પષ્ટતાપૂર્વક ખ્યાલ જીવને પેદા થાય છે, તે જ્ઞાન છે. દ્રષ્ટાંતતરીકે કોઈ વસ્તુ ઉપર દ્રષ્ટિ પડવા ટાઈમે આ વસ્તુ, તે, માણસ છે કે અન્ય કઈ ચીજ છે, એટલે જ ખ્યાલ પેદા થાય છે. પરંતુ ત્યાર બાદ તે વસ્તુ અન્ય કઈ નહિં પણ માણસ જ છે, અને તે પણ અમુક વ્યક્તિ છે, આવા સ્વભાવવાળે છે કે આવા ગુણ અને દષવાળે છે, એ પ્રમાણે તે માણસ અંગે અતિસ્પષ્ટતા પૂર્વકને ખ્યાલ પેદા થાય છે. એવી રીતે સ્પર્શેન્દ્રિયગ્રાહ્ય રસનેન્દ્રિયગ્રાહ્ય, ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય, અને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય પદાર્થ અંગે પણ સમજવું.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy