SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાવદશા ઉત્પાદક કર્મ ૨૮૩ . ખુલ્લારહેલા દર્શનગુણનું પણ આવરણકર્મ છે. અને તે નિદ્રારૂપે ભગવાય છે. કેવલદર્શનાવરણીય તે કેવલદર્શનલબ્ધિને સર્વથા ઘાત કરે છે, પરંતુ તથાસ્વભાવથી દર્શનને જે થોડો અંશ અનાવૃત્ત-ખુલ્લું રહે છે, તેને ચક્ષુ–અચક્ષુ અને અવધિ દર્શનાવરણીય કંઈક ઘાત કરે છે. અને આ ત્રણેના ક્ષપશમથી પ્રાપ્ત, દર્શનલબ્ધિને નિદ્રાદિ ઘાત કરે છે. એટલે નિદ્રાદિ તે પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિના ઉપઘાતમાં વતે છે. આત્માને જેટલી જેટલી ઈન્દ્રિયોની અનુકુળતા, તેટલે તેટલે અંશે દર્શનગુણને પશમ વિશેષપણે વર્તે છે. પરંતુ ઈન્દ્રિયની અનુકુળતામાંય નિદ્રાનો ઉદય, તે ક્ષે પશમને બાધિત કરનાર થાય છે. જેથી નિદ્રા પણ, દર્શનવરણીયકર્મને જ ઉદય છે. નિદ્રા તે તમામ પ્રાણિઓને એક સરખી નહીં હોવાથી, જગતના તમામ પ્રાણિઓની તમામ પ્રકારની નિંદ્રાને સ્કૂલ રૂપે પાંચ પ્રકારમાં સંક્ષેપી લેવામાં આવી છે. અને એ પાંચ નિંદ્રારૂપે ભેગવાતા કર્મને દર્શનાવરણીયકર્મની પાંચ પ્રકૃતિરૂપે જુદું બતાવ્યું છે. એટલે બધા મળીને દર્શનવરણીયકર્મના નવ ભેદ છે. જે સુખાદિ સ્વરૂપે વેદાય—અનુભવાય તે વેદનીય. જે કે બધાં કર્મ વેદાય છે, તે પણ વેદનીયશબ્દ તે પંકજાદિ શબ્દની પેઠે રૂઢિને વિષય હેવાથી, શાતા અને અશાતારૂપ કર્મ જ વેદનીય કહેવાય છે. બીજાં કર્મને વેદનીય કહેવાતાં
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy