SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ આત્મવિજ્ઞાન-ભાગ ૨ વ્યર્થ દેડધામ કરે છે. અધ્યાત્મી ગિવર્ય શ્રી આનંદઘનજી મહરાજે ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે – પરમ નિધાન પ્રકટ મુખ આગળ, જગત ઉલ્લંધી હો જાય જિનેશ્વર; જાતિ વિના જુઓ જગદીશની, અધઅંધ પુલાય જિનેશ્વર ધર્મ જિનેર ગાઉ રંગશું. આત્મહિતની અભિલાષા પ્રાયઃ સર્વ આત્માઓને હોય છે. પરંતુ અજ્ઞાનતાને કારણે આત્માને, સ્થાને સ્થાને શોધતા ફરે છે. કહે છે કે આત્મા અથવા બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? આ પ્રશ્નોના વારતવિક ઉત્તર નહીં જાણવાવાળા અને જ્ઞાન દ્રષ્ટિથી રહિત પુરૂષે સ્વેચ્છા નુસાર માર્ગ બતાવી દે છે. આ પ્રમાણે જ્ઞાનચક્ષુહીન ગુરૂ અને શિષ્યની મંડળી બની જાય છે. જેથી સ્વદેહમાં રહેલ આત્મતત્વરૂપ નિધાન પ્રાપ્ત કરી શકતા નથી. સ્વયં શુદ્ધ ચૈતન્ય છે, પરંતુ વિભાવમાં પ્રવર્તાવાથી જીવ, પુગલના સંગાથી પિતાનું ભાન ભૂલી ગયું છે. અને તેથી જ પિતે પરમાત્મા સદૃશ હોવા છતાં ભિક્ષુક બની પરમાત્માની શોધમાં ઘૂમ્યા જ કરે છે. પરમનિધાનરૂપ આત્મત્વ સ્વયંમાં હોવા છતાં પણ સ્વયંને ઓળખતું નથી. અને અન્ય સ્થાન પર પરમાત્માની શોધ કરે છે. પરંતુ જેમ પ્રકાશત્પાદક વસ્તુની સહાયતાથી કોઈપણ વસ્તુ જોઈ શકાય છે, તેમ આત્મ તત્વને જેવાને-સમજવાને માટે પરમાત્માની દિવ્ય જ્યોતિ
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy