SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ un આત્મવિજ્ઞાન-ભાગ ૨ યા તે કોઈપણ એક વિષયના પદ્ધત્તિસર શાસ્ત્રને વિજ્ઞાન કહેવાય છે. એવા ભિન્ન ભિન્ન સાયન્સવેતાઓને પૂછે તે તેઓ કહેશે કે અમને અમારા વિષયમાં હજુ બહુ જ ઓછું જ્ઞાન છે. મને વિજ્ઞાનના ધુરંધરવિદ્વાનને પૂછે તે તેઓ કહેશે કે આજ સુધી અમે અને અમારા પૂર્વજોએ હજાર વર્ષ સુધી પ્રયત્ન કરી માનવમનના વિષયમાં બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ જેટલું અમને તે વિષયમાં માલુમ પડ્યું છે, તેની અપેક્ષાએ કેઈગણું અધિક, અમને માલુમ નથી. મેટામેટા ચિકિત્સકે જુના અનુભવને લાભ ઉઠાવીને તથા પોતાનું સમસ્ત આયુષ્ય તે જ વિષયની અનુભવપ્રાપ્તિમાં વ્યતીત કરીને પણ એવા પરિણામ પર પહોંચે છે કે, અમને હજુ શરીરનું બહુ જ ઓછું જ્ઞાન છે. કેઈને કોઈ રેગ એવો પણ આવી જાય છે કે તેમને સર્વ જ્ઞાનને અજ્ઞાનમાં પરિ વર્તન કરી દે છે. અને સમજાય છે કે જે કંઈ આજ સુધી જાણ્યું હતું તે ઠીક નહીં હતું. શરીરમાં હજારે અંગ એવાં છે કે જેને શરીરવેત્તાઓને પણ પત્તો હોતો નથી. એવી રીતે અન્ય પ્રકારના વિજ્ઞાનશાસ્ત્રના પણ એ જ હાલ છે. તે પછી કેવી રીતે કહી શકાય કે વૈજ્ઞાનિકનું જ્ઞાન પૂર્ણ છે ? જેઓ પોતાનું સમસ્ત આયુષ્ય જ્ઞાનવૃદ્ધિને માટે જ અર્પણ કરી ચૂક્યા છે, એવા જ મનુષ્યનાં ઉદાહરણ અહિં વિચાર્યા છે. બુદ્ધિને નહિં સ્વીકારવી કે વિજ્ઞાનના ક્ષેત્રમાં થતી રહેતી જબર કાંતીને નિરર્થક કહી ઉડાવી દેવાને હેતુ અહિં નથી અહિંતે કહેવાની મતલબ એ જ છે કે બુદ્ધિની સાર્થકતા
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy