SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo આત્મવિજ્ઞાન-ભાગ ૨ કાતે આત્મવિકાસની સાધનાથી વંચિત બની રહેવાશે. અદ્વૈતવાદી કહેવાતાઓની દ્રષ્ટિએ જેની અંદર પરસ્પર પરમાર્થિક ભેદ નહિં હોવા છતાં પણ બંધ, મેક્ષ, અને ધર્માધર્મ વિષયને સ્વીકાર હોવાના કારણે, એ શાસ્ત્રોમાં બતાવેલ વિધિ અને નિયમને પાળવાથી, બંધાએલે જીવ બ્રહ્મની સાન્નિધ્યમાં જઈ શકવાનું તે તેમને માન્ય છે. એટલું જ નહિં પણ શાસ્ત્રકથિત, આચાર–નિયમ-વિધિ વગેરેની આવશ્યકતા પણ સ્વીકાર્યું હોવાથી, જીવની વિવિધતા, અનાદિબદ્ધતા અને મુક્તિ સંબંધી શક્યતાને સ્વીકારવી જ પડે છે, કારણ કે જીવે ઘણું છે, અનાદિબદ્ધ છે, અને મેક્ષ મેળવવાની એમનામાં ગ્યતા છે, એટલું કબુલ કર્યા પછી વધુ કંઈ કહેવાપણું રહેતું જ નથી. અને પછી બ્રહ્મ એક જ છે, અદ્વિતિય છે, એ વાતને સમર્થનમાં કઈ પણ સારી યુક્તિ આપી શકાતી નથી. વ્યાપ્ય અને વ્યાપકતા અંગે જૈનદર્શન કહે છે કે આત્મપ્રદેશ વ્યક્તિની અપેક્ષાએ આત્મા વ્યાપ્ય છે, અને જ્ઞાનની અપેક્ષાએ ય વસ્તુને પ્રતિભાસથી આત્મા સર્વ વ્યાપક છે. આત્મા, વ્યક્તિથી શરીરને વ્યાપી રહે છે માટે તે વ્યાપ્ય કહેવાય છે. અને જ્ઞાનમાં સર્વ ભાસે છે, તેની અપેક્ષાએ વ્યાપક કહેવાય છે. આમ બન્ને બાબતે સાપેક્ષાથી ફુટ માની શકાય છે. સંસારી આત્માનું આત્મપરિમાણ શરીર મર્યાદિત જ છે. આ પ્રમાણે આત્માને દેહપરિમાણ કહેવા છતાં
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy