SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ચા તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દઈન ૧૬૫ છે. આ પ્રમાણે સાપેક્ષરીતે નિત્યાનિત્યપણું નહિં માનવાથી એકાંતે નિત્ય કે અનિત્ય જ માનનારાની શાસ્ત્રીયપદ્ધત્તિમાં જ માધ આવશે. જો કેવલ દ્રવ્યાસ્તિક પક્ષ લઈએ તે તેના મતે આત્મતત્ત્વ એકાંત નિત્ય હાઈ અપરિવર્તનશીલ છે; અને જો કેવલ પર્યાયાસ્તિક પક્ષ લઈએ તે તેના મતે તે માત્ર ક્ષણભંગુર છે. આ બન્ને એકાંતપક્ષમાં ( નિરપેક્ષ પક્ષમાં ) સંસાર, સુખદુઃખના સંબંધ, સુખની પ્રાપ્તિ અને દુ:ખના ત્યાગ માટેના પ્રયત્ન, કનાબંધ, તેની સ્થિતિ, મેાક્ષની ઇચ્છા અને મેાક્ષ, એ કશુંય ઘટી શકે નહિ. કારણ કે એકાન્ત નિત્યપક્ષમાં ફૂટસ્થપણાને લીધે આત્મામાં કષાયવિકાર કે લેપને સભવ જ નથી; અને અનિત્ય પક્ષમાં ક્ષણભંગુરતાને લીધે આત્મા દરેક ક્ષણે નાશ પામી નવેા નવા ઉત્પન્ન થતા હોવાથી ધ્રુવત્વ સાથે બંધ બેસે એવા અનુસ ંધાન, ઈચ્છા, પ્રયત્ન, આદિ કોઈ ભાવા જ ઘટી શકતા નથી. માટે નિત્ય અને અનિત્ય એમ એય પક્ષને સાપેક્ષપણે આત્મામાં સ્વીકાર્યાંથી સાંખ્ય અને બૌદ્ધદર્શનના જૈનદર્શનમાં સમાવેશ થાય છે. તેથી અપેક્ષાએ બન્ને દનનું આરાધન થાય છે. હવે તત્ અને અતત્ અંગે વિચારતાં આત્મા, દ્રષ્યાથિક નયની દ્રષ્ટિથી તસ્વરૂપ છે. કેમકે અનન્તકાળ પહેલાં તે જેટલા અને જેવા હતા, તેટલા અને તેવા જ વમાન કાળે પણ છે. અને વર્તમાનકાળે તે જેટલે છે, તેટલા અને તેવા જ તે અનન્તકાળસુધી રહેવાના છે. તેમાંથી તેને
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy