SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય એ ભાગ્યશાલી પિતા-પુત્ર પ્રશમરસમાં ઝીલતી અને ભવ્યજીને વિશુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી કરાવતી શ્રી અજીતનાથ ભગવાનની પરમ પાવનકારી મૂર્તિથી સુશોભિત જીનાલયવાળા, વાવ (બનાસકાંઠા) નગર નિવાસી એ પુણ્યવાન ભાગ્યશાલી પિતા-પુત્ર તે(૧) દોસી રાખવચંદ ત્રીભવનદાસ અને (૨) તેમના સુપુત્ર દોસી છોટાલાલ રીખવચંદ. દરેક જીવ પ્રત્યે વાત્સલ્યભાવની સુવાસને પ્રસરાવતી તેમની મુખમુદ્રા જાણે અત્યારે પણ નજર સન્મુખ જ ખડી ન હોય! વાહ! શું તેમની નમ્રતા, શું તેમની લઘુતા ! અને શું તેમની પરમાર્થવૃત્તિ! તથા શું! તેમની દેવ–ગુરૂ પ્રત્યેની પરમ ભક્તિ! આ બધા સગુણથી જ તેમનું જીવન ધન્ય ધન્ય બન્યું છે. ઉપરોક્ત સદ્ગુણેથી પોતાના જીવનને પવિત્ર બનાવી આજે તે તે પિતા-પુત્ર, પરલોકના પંથે સિધાવી ગયા છે. પરંતુ તેઓશ્રીના સદ્ગુણસુવાસની સેરમને વાવનગર નિવાસીઓ કેવી રીતે ભૂલી શકે! પરમશાંતિ પ્રાપ્ત થાઓ એ ભાગ્યશાલી- પિતા-પુત્રને.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy