________________
પરિશિષ્ટ ૮
પંડિત શ્રી વીરવિજયકૃત (મુંબાપુરીસ્થ) ભાયખલાનાં ઢાળિયાં."
(સં. ૧૮૮૮)
ઢાળ ૧ લી
(શ્રાવણ વરસે રે સ્વામી-એ દેશી) સુખકર સાહેબ રે પામી, પ્રથમ રાય વનિતાના સ્વામી; કંચન વરણી રે કાયા લાગી, મનમેહન સાથે માયા.-કંચન ૧ ક્ષીરોઠનાં રે પાણી, સુરતરુ ફૂલ સુર આપે આણુક ત્યાસી લાખપૂરવરંગરસીયા,લાખપૂરવસમતામાંસી આ.-કચનર શિવ નીસરણી રે થાપી, તિણે સિદ્ધાચલ યાત્રા વ્યાપી બાકી ફરસના રે જાણું, નાથજી આવ્યા પૂરવ નવાણું-કંચન ૩ નામ યુગાધીશ રે જપતાં, દશ હજાર મુનિ મલપતા; સંજમ થાને કરે વસીયાં, અષ્ટાપદ અણસણ ઉચરીયાં-કંચન ૪ યુગ નિરાયે રે વાસિ, પરીશાટન પંચાસી નાસી; પુરણનંદી ફુગ ઉપગે, સુખીયા શિવરમણ સંજોગે.-કંચન ૫
૧. આ ઢાળિયાંની નકલ સંશોધક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ; એલએલ. બી. એ પૂરી પાડી છે તે માટે તેઓશ્રીને આભાર માનું છું.