SearchBrowseAboutContactDonate
Page Preview
Page 945
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા ખિ ભગવાનને ભજ્યા નથી એટલે તેના પ્રત્યે જલ્દી પ્રીતિ થતી નથી. તેથી ભગવાને ભેગને ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. એટલે જીવોને સંસાર પ્રત્યેને ભાવ છે તેટલે ભાવ ભગવાન અને ભગવાનનાં વચન ઉપર આવી જાય તે જલદી ભવ વન ઓળંગી જાય. ભગવાનને ભક્ત ભેગેને ભિખારી ન હોય ત્યાગને પુજારી હોય, ભગવાનને માર્ગ ત્યાગને છે. ભગવાન કહે છે કે ભેગે પ્રત્યેનો ભાવ ઘટાડયા વિના ભવને ભાગાકાર થવો મુશ્કેલ છે. ભવસાગર તર કઠીન છે. માટે જે જલદી આત્મસાધના કરવી હોય તે ભગવાનનાં વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા કરે. - જેના અંતરમાં સમજણની સરવાણી ફૂટી હોય તેના અંતરના ઉદ્દગારો પણ અલૌકિક હોય છે. આવા જ ખાતા–પીતાં, ઉઠતાં–બેસતાં, બોલતાં દરેક કાર્યોમાં ઉપયોગ રાખે છે. અજ્ઞાની છે પણ આ બધી ક્રિયા કરે છે ને જ્ઞાની પણ કરે છે. એ બંનેના કરવામાં આસમાન અને જમીન જેટલું અંતર હોય છે. જ્ઞાની પ્રત્યેક ક્રિયા કરતાં ઉપગ રાખે છે. જ્ઞાનીનું ચાલવું, ઉભા રહેવું, બેસવું, સૂવું, ખાવું, બલવું બધું યત્નાપૂર્વક હોય છે. તેથી તે પાપકર્મો અલ્પ બાંધે છે. અને તપ દ્વારા જુનાં કર્મો ખપાવે છે. આ રીતે યતનાપૂર્વક જીવન જીવતે આત્મા પાપકર્મથી લેપાય નહિ. માટે પ્રત્યેક ક્રિયામાં જતના રાખો. જ્ઞાની કહે છે કે ઉપયોગ એ ધર્મ. અજ્ઞાની જેને આ વાતનું રહસ્ય સમજાતું નથી તેથી કર્મોનું બંધન કરી અનંતકાળ સુધી સંસારમાં રઝળે છે. આપણને આ અમૂલ્ય માનવ જિંદગી કર્મોના બંધનથી મુક્ત થવા માટે મળી છે. સંસારના બંધને બંધાવા માટે નહિ. લાખ જનમ પૂરા કરી, આપણે સહુ આવ્યા અહીં, જે આ ભવે જાગ્યા નહીં તે, ફરીશું ફરી ચક્કર મહીં. ચાર ગતિ, ગ્રેવીસ દંડક અને ચેર્યાશી લાખ જીવાનિમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં મહાન પુર્યોદયે જીવને આ ઉત્તમ માનવભવ મળે છે તે શું વિષયમાં રચ્યાપચ્યા રહીને વિકાસ કરવા માટે મળે છે ? આત્માને કર્મના કાદવથી ખરડવા માટે માન્ય છે ? “નહિ”. આત્મજ્ઞાનમાં મસ્ત બની આત્માના સ્વરૂપની પીછાણ કરવા માટે મળે છે. સંસારભાવ જીવનમાં ન જોઈએ. પુદ્ગલને એંઠવાડે ચાટવાની વાત ન જોઈએ. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આંતર નિરીક્ષણ જોઈએ કે હું કેણ હું ક્યાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરું, કેના સબંધે વણ છે રાખું કે એ પરિહરું” હે આત્મા ! તું કોણ છે? ક્યાંથી આવ્યું છે ને ક્યાં જવાનું છે? તારું સાચું સ્વરૂપ શું છે ને તું શું કરી રહ્યો છે? આ રીતે આંતર નિરીક્ષણ કરવામાં
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy