SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૮૪૩ કુલાએ. મને જોઈને તમે બહુ હરખાઈ ગયાં છે પણ જરા ધીરજ રાખે. હું થોડા દિવસ તમારા ભેગી રહીને પછી જુદી થઈ જઈશ. ભેગી રહું ત્યાં સુધી સુખ ભોગવી લે. પછી તમે બધું કર્યા કરજે. વહનું ગીત સાસુજીએ સાંભળ્યું એટલે બિચારી સાસુ વહુ લાવવાને ઉમંગ એસરી ગયે. (હસાહસ) અરેરે.... હું તે માનતી હતી કે વહુ આવશે એટલે હું છૂટી થઈશ. તેના બદને વહુરાણી તે આવતા વેંત જુદા થવાનું કહે છે. આજે મોટા ભાગે આવું ચાલે છે. કેમ બહેને બરાબર છે ને ? (હસાહસ) (જવાબ - એવું જ છે.) મારી બહેને! સાસુ બનવાનાં કેડ કરે છે પણ દે. વહુએ શું કહ્યું? થડા દિવસમાં બે ચૂલા કરી દઈશ. ઘરમાં જે સારી વહુ આવે તે બે ચૂલા હોય તે એક કરાવે. બે દિલ જુદા હોય તે એક દિલ કરાવે ને કુસંપ હોય તે સંપ કરાવે. અને ખરાબ વહુ આવે તે આવતા વેંત એના ધણીને લઈને જુદી થઈ જાય. એક ચૂલાનાં બે ચુલા કરાવી દે. આ છે તમારે સંસાર જેમાં બીલકુલ સાર નથી. ત્યાં શું સુખ માનીને બેસી રહ્યાં છો ! જેમ બાળક અંગૂઠો ચૂસતાં પિતાની લાળને માતાનું દૂધ માની લે છે તેમ આ સંસારમાં અજ્ઞાની છે આ નિસાર સંસારમાં સુખ ન હોવા છતાં પણ ભ્રમમાં પડીને ભૌતિક સુખમાં સાચું સુખ માની લે છે. આવા અંધારામાં જ્યાં સુધી રહેશે? સમજીને સંસારની મમતા છેડે તે તમારું કલ્યાણ થશે ને સાચું સુખ મળશે. મલ્લદિનકુમારે કૌટુંબિક પુરૂષોને પ્રમદ વનમાં એક સભા બનાવવા માટે આજ્ઞા કરી. એટલે તેમણે હોંશભેર મલ્લદિનકુમારની આજ્ઞા પ્રમાણે સુંદર સભા તૈયાર કરી અને કુંવરને ખબર આપ્યાં કે આપની આજ્ઞા મુજબ પ્રમદ વનમાં એટલે ઘરનું ઉદ્યાન, રણવાસનું ઉદ્યાન અમે આપનું મન પ્રસન્ન બને તેવી સભા તૈયાર કરી દીધી છે. આ પ્રમાણે કૌટુંબિક પુરૂષનાં કહેવાથી મલ્લદિનકુમારે કુશળ ચિત્રકારને બાલાવ્યા. બેલાવીને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનપ્રિયે! તમે ચિત્રગૃહને હાવ ભાવ, વિલાસ અને બિઓવાળા ચિત્રોથી ચિત્રિત કરે. અને ચિત્રકામ પૂરું થાય ત્યારે અમને ખબર આપો. ત્યાર પછી ચિત્રકારેએ “ત્તિ રિયુબેદા” તથાસ્તુ કહીને કુમારની આજ્ઞાને સ્વીકાર કર્યો. ત્યાર બાદ તે ચિત્રકારે પિતપોતાનાં ઘેર ગયા. ઘેર જઈને પિતપોતાની પીંછીઓ, પાંચ પ્રકારના રંગ તેમજ રંગમાં નાંખવાનાં બીજા દ્રવ્ય આ બધી સાધન સામગ્રી લઈને જે સભા તૈયાર કરવામાં આવી હતી તે સભામાં ગયા. સભામાં પ્રવેશ કરીને ચિત્રકારોએ પહેલાં નક્કી કરી લીધું કે ક્યાં કયું ચિત્ર દેરવું? કોને ક્યાં ચિત્ર દેરવું તેના વિભાગ પાડ્યા. વિભાગ પાડીને તે સ્થાનને તેમણે ઘસીને પેઈને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy