SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં. ૭૩ ભાદરવા વદ ૧૦ ને શનિવાર તા. ૧૮-૯-૭૬ અનંત જ્ઞાની મહાન પુરૂએ જગતના છ ઉપર કરૂણાને ધેધ વરસાવીને કહ્યું કે હે ભવ્યજી! અનંતકાળથી આત્માએ વિભાવ દશામાં જોડાઈને ચતુર્ગતિના ફેરા વધે તે કર્મને પ્રજાને એકઠો કર્યો છે. જન્મ-મરણનું મૂળ કારણ કર્મ છે. કર્મો જીવને કંટકની માફક ખટકવા જોઈએ. જ્યારે ક ખટકશે ત્યારે જન્મ-મરણને ત્રાસ છૂટશે. તમને કમ ખટકે છે ખરા ? જ્યારે જીવને એમ થશે કે આ કર્મોના કાંટા કાઢવા જેવા છે ત્યારે સંસાર છોડીને સંયમી બનવાનાં ભાવ જાગશે. કદાચ ચાસ્ત્રિ મેહનીય કર્મના ઉદયથી દીક્ષા ન લઈ શકે પણે સંસારમાં રહેવા છતાં એક લક્ષ્યબિન્દુ રહેશે કે કયારે સર્વવિરતિ બનું ને ક્યારે કર્મના બંધનોથી મુક્ત થાઉં? સંસારમાં બેઠો છું તે અનિચ્છાએ પણ મારે પાપનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવી પડે છે. માયા-પ્રપંચ કરવા પડે છે. ને કર્મબંધન થાય છે અને એ કર્મો જ્યારે કે ત્યારે મારે અવશ્ય ભોગવવા પડશે. કર્મની કરામત અલૌકિક છે. કર્મ ન કરાવે તેટલું ઓછું છે. કઈ સત્તાધીશ માણસનો કઈ ગુન્હ કરે તે સત્તાધીશ માણસ ગુન્હો કરનાર ઉપર ગુર કરીને કહે છે યાદ રાખજે. તને ઉંધે મસ્તકે લટકાવી અંધારી કોટડીમાં પૂરી દઈશ. તે કેવું દુઃખ થાય છે? આ કમેં પણું જીવને અધારી કેટડીમાં ઉધે મસ્તકે લટકાવ્યા હતા. જ્યારે લટકાવ્યો હતો એ ખબર છે ને? ગુન્હેગારને અંધારી કેટડીમાં ઉંધે મસ્તકે લટકાવ્યું ત્યાં તે થેડે ઘણે પ્રકાશ હશે, થડી હવા આવતી હશે પણે જ્યારે જીવ માતાના ગર્ભમાં આવે ત્યાં અંધારી કેટડીમાં ઉંધે મસ્તકે લટક. ત્યાં હવા ને ઉજાસ હતા? બેલે, કર્મરાજા કેવી શિક્ષા કરે છે! ભલે કમ તમને પ્રત્યક્ષ દેખાતાં ન હોય પણ એની સજા તે ભોગવવી પડે છે ને? કર્મ છે તે જન્મ લેવું પડે છે ને ? આ બધું કરાવનાર કર્મ છે. ભલે, કર્મના દેખાય પણ કર્મની ભયંકરતા તે દેખાય છે ને ? કે આંધળો માણસ ચાલ્યા જતા હોય, માર્ગમાં સર્પ છે પણ તે દેખી શકો નથી તેથી સર્પ નથી એમ કહી શકાય? “ના”. શું આંધળાને સર્પ નહિ કરડે ? કેમ આ વાત બરાબર તમને સમજાય છે ને? તે એ જે રીતે કર્મ માટે સમજી લે. જેઓ કર્મને પ્રત્યક્ષ દેખતાં નથી, કર્મોને માનતા નથી ને કર્મની ભયંકરતાને વિચાર કરતાં નથી તેથી તેને કર્મો ઉદયમાં નહિ આવે ને કર્મોની સજા નહિ ભેગવવી પડે તેમ કહેવાય નહિ. કર્મો કઈને છેડતાં નથી. એને ઉદય થતાં સંસારવતી સર્વ ને શુભાશુભ ફળનો સ્વાદ ચખાડે છે. માટે કર્મોને માનો ને તેની ભયંકરતાને સમજે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy