SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૬૩. જાય છે. રાજાએ ખૂબ આનંદથી આજ્ઞા આપી અને રાજા પોતે નાગ ઉત્સવમાં પધારશે તેથી રાણીને ખૂષ આનંદ થયા છે. હવે તે નાગ ઉત્સવ ઉજવવાની તૈયારી કરશે ને કેવી રીતે ઉજવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર :-હેમરથ રાજાના અતિ આગ્રહથી મધુરાજાએ તેમની વિનંતી સ્વીકારી. “હેમરથ રાજાએ મધુરાજાનું કરેલું ભાવભીનું સ્વાગત ” : મધુરાજાએ તેના આમંત્રણના સ્વીકાર કર્યાં તેથી ખટપુર નરેશને ખૂખ આનંદ થયા. અને તોરણ, ધ્વજા, માળા, વસ્ત્ર વિગેરેથી નગરને શણગારી અનેકવિધ વાજિંત્રોની સુરાવલીઓ સાથે નગરમાં મધુરાજાના પ્રવેશ કરાવ્યેા. અને પેાતાના મહેલમાં લઈ જઈ ને સભા મડપમાં સુવણુ મય સિંહાસન ઉપર મેસાડયા. હેમરથ રાજાએ મધુરાજાને અનેક વિધ નવીન વસ્તુઓ ભેટ ધરીને અંતરના ઉલ્લાસપૂર્ણાંક તેનુ સ્વાગત કર્યું. ત્યાર બાદ તેમને જમાડવા માટે ઉત્તમ પ્રકારના ભેાજન તૈયાર કરાવ્યા અને પેાતાની રાણી ઈન્દુપ્રભા પાસે આવીને રાજા કહે છે હે મહારાણી ! આપણાં પરમ સદૂભાગ્ય છે કે આવા મોટા અચેાધ્યા નરેશ આપણે ત્યાં પધાર્યા છે. તેમને જમાડવા માટે તમે જાતે જજો. આપણી ભક્તિથી આપણા ઉપર મહારાજા ખુશ થશે ને આપણે તેમની સાથે ગાઢ સબધ અધાશે. ત્યારે રાણીએ કહ્યું-સ્વામીનાથ ! તમે અત્યંત સરળ ને ભદ્રિક છે. જે રાજાને આપણને કદી પરિચય નથી, જેની સાથે કોઈ જાતનેા સબંધ નથી, તેની પાછળ આટલી બધી પાગલતા શી ? બધી સારી ચીજો અજાણ્યા રાજાની સમક્ષ હાજર ન કરવી જોઈએ. કારણ કે અંદર બેઠેલા વિકારરૂપી કાળા નાગ કયારે કુંફાડા મારે ને માનવીનું મન કયારે ચંચળ અની જાય તે કહી શકાતું નથી. હું પરાયા પુરૂષનું સુખ જોવા માંગતી નથી. માટે હું પીરસવા નહિ જાઉ. આપની બીજી કોઈપણ સ્ત્રીને માકલી આપો. આ પ્રમાણે ઈન્દુપ્રભાએ કહ્યું ત્યારે.રાજાએ શુ જવાખ આપ્યા ? હેમરથ રાજાને પીરસવા જવા માટેના આગ્રહ ને કટાક્ષ :- ઉંમરથ રાજાએ કહ્યું-હે રાણી ! મધુરાજા તે આપણા પિતા સમાન છે. એ કદી કુદૃષ્ટિ કરે તેવા નથી. માટે તમે સારા શણગાર સજો અને સારા વસ્ત્રો પહેરીને મધુરાજાને પીરસવા માટે જાએ. ત્યારે ઈન્દુપ્રભાએ કહ્યું-હું એમ નથી કહેતી કે બધા રાજાએ કુદૃષ્ટિવાળા અને કામી હોય છે. પણ આ રાજાને પીરસવા જવા માટે મારુ મન ના પાડે છે. માટે હું કાઈ રીતે જવાની નથી. રાણીએ ચાખ્ખી ના પાડી ત્યારે ઉંમરથ રાજાએ તેના પ્રત્યે ખૂબ ગુસ્સેા કરીને કહ્યું કે-હે રાણી ! તને તારા રૂપને ખૂબ અભિમાન છે કે મારા જેવી આ દુનિયામાં કેાઈ રૂપાળી નથી, પણ વિચાર કર. આવેલા રાજાના અંતઃપુરમાં તમારા કરતાં પણ સૌંદર્યવાન રાણીઓ હશે ! એની
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy