SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ શારદા શિખર સુધી તેને વાંધા શરીરને નાશ આવતા નથી. પણ કરવામાં ના આવે તે પણ જ્યાં સુધી તેમાં ચેતનદેવ બેઠા છે ત્યાં ચેતનદેવ અંદરથી ચાલ્યેા ગયા પછી જો અંદરથી ભયંકર દુ"ધ છૂટશે. તમે જાણા છે ને કે વીસ વર્ષના એકના એક દીકરા મરી જાય તેા પણ કાઈ કલેવર ઘરમાં રાખે ખરા ? ના. ચેતનદેવ ચાલ્યા ગયા પછી દીકરા ગમે તેટલા વહાલા હાય તા પણ તેના કલેવરને જલાવી દેવામાં આવે છે. માટે વિચાર કરેા. કિંમત કોની છે? હીરાની કે ઝવેરીની ? આમ તે હીરો કિંમતી છે પણ હીરાની પારખ ઝવેરી હાય તા થાય છે. માટે તે અપેક્ષાએ હીરા કરતાં ઝવેરીની કિંમત વધારે છે. તે રીતે હીરાના ટુકડા જેવું આ શરીર છે ને તેની કિંમત કરાવનાર આત્મા એ ઝવેરી છે. માટે દ્વેષ કરતાં આત્માની કિંમત વધારે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે દેહની માવજતમાં દેહીને ન વિસારે। પણ જ્યાં સુધી દેહમાં દેહી (આત્મા) બેઠેલા છે ત્યાં સુધી સાધના કરી લે. મલ્લીકુમારી પૂતળીમાં રાજ એકેક વલ આહાર તેમાંથી ભય'કર દુધ નીકળે છે. હવે આ વાત અહીં ભગવંત ખીજી વાત કરે છે. મલ્ટીકુમારીના પૂના છ મિત્રો જયત વિમાનમાંથી ચવીને કેાણ કયાં ઉત્પન્ન થયા છે તે વાત આગળ આવી ગઈ છે. હવે મલ્ટીકુમારીના સબંધ તે પૂના મિત્રોને કેવી રીતે થશે તે વાત ખતાવે છે. નાંખે છે. તે સડી જવાથી અટકે છે. હવે શાસ્ત્રકાર અચલ, ધરણ આદિ तेण कालेणं तेणं समणं कोसल णामं जणवए, तत्थणं सागेए नामं नयरे । જ્યારે મલ્લીકુમારી સંસાર અવસ્થામાં હતા તે કાળ ને સમયની આ વાત છે. તે સમયે કેશલ નામના જનપદ (દેશ) હતા. તે કેશલ દેશમાં સાકેત નામે નગર હતું. આ સાકેત નગરમાં વસનારા માનવીએ ખૂબ ચતુર હતાં. જેએ સદૈત કરવા માત્રથી સમજી જતાં હતાં. તેમને કાઈ પણ કાર્ય કરવા માટે વારંવાર કહેવું પડતુ ન હતું. એવા ડાહ્યા ને સમજણુવાળા મનુષ્યા વસતા હતા. એકબીજા સ ́પીને રહેતાં હતાં. રાજાની આજ્ઞા વિરૂધ્ધ કોઈ પણ કાય પ્રજાજના કરતાં ન હતાં. એટલે પ્રજામાં અલૌકિક શાંતિ અને સપ હતા. જ્યાં એકતા છે, સરૂપ છે ત્યાં આનંદ છે. આ રીતે દરેક રાષ્ટ્રમાં, સંઘમાં, ઘરમાં પણ એકતા હોય ત્યાં વાતાવરણુ અનેાખુ હશે. આજે જ્યાં જુએ ત્યાં એક રાજ્યમાં પણ કેટલી ભિન્નતા છે, તેના કારણે સામ્યવાદ આદિ વાદ પડયાં છે. દરેક રાષ્ટ્ર, સંધ કે કુટુંબ એકતા સાધીને કાર્ય કરે તે તેમાં જરૂર સફળતા મળે છે. સાકેત નગરની પ્રજામાં ખૂબ સંપ અને એકતા હતી. અને પ્રજામાં નમ્રતા પણુ ખૂબ હતી. જેનામાં નમ્રતા અને વિનય હાય છે તેના નામ અમર બને છે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy