SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૪૮૫ સાચુ' વિટામીન જોઇતું હાય તા બ્રહ્મચય જેવું ઉત્તમ એક પણ વિટામીન નથી. તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે શ્રીપાળ રાજાના દુ"ધ મારતા કાઢવાળા શરીરને સતી મયણાસુંદરીએ સાક્ષાત રાજકુમાર જેવું તેનું શરીર બનાવી દીધું. એ એવી મહાન સતી હતી કે ૭૦૦ કાઢીયાને પેાતાના ચારિત્ર અને તપના મળે નવકારમંત્ર ગણી પાણી છાંટયું તેા કાઢીયાના કાઢ ચાલ્યા ગયા. મહાભારતની વાત છે. કૌરવા અને પાંડવા વચ્ચે ભયકર યુધ્ધ થયું. યુધ્ધમાં દુર્ગંધનના ૯૯ ભાઈ આ મૃત્યુ પામ્યા. એ નિઃસહાય થઈ ગયા. એનું ભુજાખળ, શસ્ત્રખળ અને સૈન્યબળ ઘટી ગયું, એટલે પેાતાના પ્રાણ બચાવવા યુધ્ધમાંથી ભાગીને એક સરોવરમાં સંતાઈ ગયેા. ત્યાં ત્રણ દિવસ થઈ ગયા. એને થયુ... કે અહીં ખતમ થઈ જવાશે. તેથી વિચાર થયા કે પાંડવા ઉપર વિજય મેળવવા શું કરવું ? આ સંસારમાં એ માટે સાચી સલાહ આપનાર તે ધર્મરાજા સિવાય કોઈ નથી. શત્રુઓના મનમાં પણ એટલા દૃઢ વિશ્વાસ હતેા કે ધર્માંરાજા કેાઈ દિવસ ખાટુ' ખેલશે નહિ. ખાટી સલાહ આપશે નહિ. ખરે માનવ પણ તે ગણાય. ખાટી સલાહ આપનાર તા પશુ સમાન ગણાય. આથી દુર્ગંધન ધરાજાની શિબિર પાસે જઈ અંદર સ ંદેશા માલે છે. ધ રાજા વિચારે છે કે ભાઈ નિઃસહાય થઈ ગયા છે. તેથી સ`ધિ કરવા આળ્યેા હશે તે આપણે સંધિ કરી લેવી. આપણને તે તે પાંચ ગામ આપી દે તા પણ લડવું નથી. તેથી ધર્મરાજા દુર્ગંધનને અંદર ખેલાવે છે. બંને ભાઈ આ ભેટે છે. તેમની આંખામાંથી પ્રેમના આંસુ વહે છે. ધરાજા દુર્યોધનને પાસે બેસાડીને આવવાનું કારણ પૂછે છે ત્યારે દુર્યોધન કહે છે આપની (પાંડવાની) હાર થાય અને મારી (કૌરવાની) જીત કેવી રીતે થાય એ માટે હું આપની સલાહ લેવા આવ્યો છું. ધર્મરાજા કહે છે દુર્ગંધન! આ તું શું ખેલે છે ? મને હરાવવા માટેની સલાહ લેવા આવ્યેા છું ? તે કોઈ ભાંગ તો નથી પીધી ને ? દુર્યોધન કહે. ના....ના. મેં ભાંગ નથી પીધી. હું ખરા અંતઃકરણથી કહું છું કે આ સંસારમાં આપના સિવાય મને સાચી સલાહ આપનાર કાઈ નથી. ધમ રાજાનેા આત્મા કેટલેા પવિત્ર હશે કે શત્રુને પણ શ્રધ્ધા છે કે ધર્મરાજા કોઈ દિવસ ખાટું મેલે નહિ. ધર્મરાજા વિચાર કરે છે ભલે મારી જીત થાય કે હાર થાય પણ સાચા માર્ગ અતાવવા એ મારે ધમ છે. તેથી કહે છે ભાઈ! જીતવાના ઉપાય તે તારા ઘરમાં છે. તમારી માતા ગાંધારી પાતાના પતિ સિવાય કોઈનુ મુખ જોતી નથી. તે પતિવ્રતા શ્રી છે. પાતાના પતિ અંધ હાવાથી તે સ્વય' 'મેશા આંખા પર પાટા માંધી રાખે છે, તે પતિવ્રતા ધર્મ ખરાખર પાલન કરતી હાવાથી તેની દૃષ્ટિમાં એટલી શક્તિ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy