SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ વાત પર ૪૮૩ જવી રહ્યા છે. ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી જે જીવેને સંસારમાં રહેવું પડયું છે તેઓ અલિપ્ત રહેવાથી તેમને મોહરૂપી દાવાનળ જલાવી શકો નથી. ટૂંકમાં શેઠાણી ચાલ્યા ગયા. શેઠ મૂર્ણાગત પડયા છે. આ વાતની આખા ગામમાં જાણ થઈ ગઈ. પણ કઈ માનવી શેઠને આશ્વાસન આપવા કે પવાલું પાણું પીવડાવવા ત્યાં ગયું નહિ. બધાની આંખ સામે મૃત્યુ રમે છે. આ પ્રસંગે ગામમાં પધારેલા જૈન સંતને ખબર પડી કે નગરશેઠને આ બનાવ બન્યો છે. તરત મુનિ શેઠના ઘેર પહોંચી ગયા. જેના રોમેરોમમાં અનુકંપા અને દયાના સ્ત્રોત વહે છે. જેની ભાવનામાં સર્વ ને શાસનરસી બનાવું તેવા. પરિણામ વર્તે છે. જેને આત્મા છએ કાય જીને પિતાના પ્રાણ સમા લેખે છે. એવા મુનિઓ મૃત્યુથી ડરતા નથી. તેથી મુનિ શેઠના ઘેર આવ્યા. શેઠને ઢંઢોળતાં જ્ઞાનીના વચનામૃત રૂપી પાણી છાંટીને તેમને સજાગ બનાવે છે. ઉઠે, શેઠ બેઠા થાવ. શા માટે ઝૂરે છે? કેમ કલ્પાંત કરે છે? મહારાજ ! આજે હું મરી જવાને છું. મારા ઉપર વીજળી પડવાની છે. અરે શેઠ ! આ શું ત્યારે મૃત્યુને તમને આટલે બધો ડર છે? મૃત્યુ એ તે મહોત્સવ છે. એવી સાધના કરી લે કે જીવનની અમરતા પ્રાપ્ત થઈ જાય. માનવ દેહ સંસાર રૂપી ઝુંપડીમાંથી બહાર નીકળી મોક્ષરૂપી મહેલમાં જવા માટેનું એક સાધન છે. આપ શા માટે ગભરાવ છે? વીજળી આકાશની કઈ પડવાની નથી. કદાચ એ પડે ને માનવીના પુણ્ય હોય તે બચી પણ જાય. પણ તમારા ઉપર તે સંસાર રૂપી વીજળી પડી ગઈ. આ શબ્દથી શેઠ સજાગ બની ગયા. શેઠની આંખ ખુલી ગઈ. ગુરૂના જ્ઞાનામૃત રૂપી વચનના પવનથી મેહનું વાદળ શેઠનું વીખરાઈ ગયું. તે સંતના ચરણમાં પડી ગદ્ગદ્ કંઠે બેલ્યા-મહારાજ ! મારી આંખે મોહન મોતીયે હતું તે આજે ઉતરી ગયો. મૃત્યુમાંથી મેં અમરતા મેળવી લીધી. શેઠનો અંતરાત્મા જાગી ગયા. તેમને સમજાઈ ગયું કે વીજળી એટલે સંસારની વીજળી. છેવટે શેઠ રિધ્ધી સિધ્ધીને ત્યાગ કરી સંયમી બનવા તત્પર બન્યા. શેઠાણું દેડતા આવી પહોંચ્યા. ઘણાં રેવા તૈયાર થયા પણ જેને આત્મા જાગી ગયેલ છે તે કેઈન રોયે રોકાતો નથી. અઢળક સંપત્તિનું દાન કરી શેઠ સંસાર છોડી સાધુ બની ગયા. અહીં તમારે પણ સમજવા જેવું છે. સાહ્યબીના સૂર્યને ઢંકાતા વાર નહિ, વિપત્તિનાં વાદળ ઘેરાતાં વાર નહિ, પ્રેમના પ્રવાહને પલ્ટાતાં વાર નહિ. સ્વાર્થનાં સબંધને ભૂંસાતા વાર નહિ, સંધ્યા તણુ રંગને વિલાતાં વાર નહિ, વિલાતાં વાર નહિ. જેમ સંધ્યાના રંગેને વિલય થતાં વાર લાગતી નથી તેમ આ સુખ, સંપત્તિ અને સગાસ્નેહીઓનાં સબંધ અને પ્રેમ આ બધું ક્યારે પટાઈ જશે તેની ખબર
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy