SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર વિનનિ વિના ચાન્તિ વાનિત શા - હવાઈ મોવ, વનિરિ ન ગતિ - જે મનુષ્યના દિવસે ધર્મ વિનાના જાય છે તે લુહારની ધમણ જેવા છે. કારણકે લુહારની ધમણ શ્વાસ લે છે પણ તે કંઈ જીવતું માણસ નથી. તેમ માણસ આ પૃથ્વી ઉપર જમે છે ને જીવે છે પણ જે તેના જીવનમાં ધર્મ નથી તો તેનું જીવન હારની ધમણ જેવું છે. એ શ્વાસ લેવા છતાં પણ ધમણની જેમ મલે છે. માટે મરેલા જેવું જીવન જીવવું ન હોય તે ધર્મની આરાધના કરી લે. . વીતરાગના સંતો તમને વીરના વચનામૃતોનું પાન કરાવતાં વીતરાગ પ્રભુની સંદેશ સમજાવે છે કે જે તારું નથી, તારી સાથે આવનાર નથી તેને મેળવવા માટે તુ” જે પ્રયત્ન કરી રહ્યો છે તે પ્રયત્ન તારા માટે નવા નથી, અપૂર્વ નથી. આવા પ્રય હે જીવ! તું અનંતીવાર કરી ચૂક્યું છે પણ દુઃખ ટળ્યું નહિ ને સુખ મન્યું નહિ. હવે સમજ્યા ત્યારથી સવાર સમજીને મારે શું કરવું તેને નિર્ણય કરી લે. ચેરાસી લાખ જીવાયેનિમાં ઊંચામાં ઊંચે દેહ મળ્યો છે. તે તેને સદુપયોગ કરે. ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું કે “જિં દુર્જન” હે પ્રભુ! આ જીવને દુલભ શું? ત્યારે ભગવંતે જવાબ આપે કે હે ગૌતમ ! સંસારમાં સર્વભવોમાં માનવભવ દુર્લભ છે. એમ ન કહ્યું કે દેવભવ દુર્લભ છે. ભગવતે પિતાના કેવળજ્ઞાનમાં જેઈને કહ્યું છે કે આ જીવને અથાગ પુર્યોદયે માનવભવ પ્રાપ્ત થાય છે. આ ભવમાં આવીને જીવ સવળો પુરૂષાર્થ કરે તો મેક્ષમાં જઈ શકે છે. તે અપેક્ષાએ માનવભવ દુર્લભ છે. • તમારા મહાન પુણ્યોદયે તમને આ માનવભવ અને તેમાં પણ વીતરાગને ધર્મ મળે છે. આ જેવા તેવા પુણ્ય નથી. કેઈ ભેળા ભરવાડના હાથમાં રત્ન આવે તે તેને મન રનની કિંમત નથી. એ તે એમ માની લે કે આ કોઈ ચમતે પથરે છે. એને વીંધીને મારી બકરીની સાથે બાંધુ તે સારે લાગશે. એ જ રત્ન કોઈ ઝવેરીના હાથમાં જશે તો તે રત્નને બકરીની ડોકે બાંધવા નહિ જાય. એ તો નજર પડતાં પારખી લે કે આ કિંમતી રત્ન છે. એને પડીકામાં બાંધીને સાચવીને તિજોરીમાં મૂકી દે, જ્યારે તેને ખરીદનાર સારો ગ્રાહક આવે ત્યારે વેચીને તેના મૂલ્ય ઉપજાવે, તેમ આ મનુષ્ય જન્મ હીરા જે કિંમતી છે. તેમાં જે જીવ ધર્મ પામી જાય છે તેનું જીવન અમૂલ્ય બની જાય. “મારા સહ્યા; સંક િઇ વીથિં મનુષ્યભવ, વીતરાગવાણીનું શ્રવણ, તેમાં શ્રધ્ધા થવી અને સંયમમાં શક્તિનું ફેરવવું આ ચાર અંગ જીવને મળવા દુર્લભ છે, મનુષ્યજન્મ પામીને ધર્મ પામ્યા પછી જીવ કથાને મંદ કરે છે, પાત્રતા મેળવે છે. તેના
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy