SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર સર્ષ, સર્પનું દર કે સર્પનું ઝેર. બાલે શું સારું ! તમે નહિ લે તે હું કહું. ત્રણમાંથી એક પણ સારું નથી. કારણકે એ ત્રણમાંથી એક પણ જગ્યા એવી નથી કે ત્યાં તમે નિર્ભયપણે રહી શકે. તમને કઈ કહે કે સર્પના દર પાસે જઈને સૂઈ જા તે સૂવા તૈયાર થશે? (તામાંથી અવાજ : એક પણ વ્યકિત ત્યાં સૂવા તૈયાર નહિ થાય.) કેમ ? શા માટે ? તમે સમજે છે કે જ્યાં સર્પનો રાફડો છે ત્યાં ભય છે. કયારે સાપ બહાર નીકળે ને ડંખ મારી જાય તે ખબર ન પડે. માટે ત્યાં કઈ સૂવા તૈયાર નથી. કેઈ કહે સર્પની દાઢ કાઢી લાવે છે તે કાઢવા પણ કઈ તૈયાર નથી. અને સહેજ ખસખસના દાણા જેટલું ઝેર આપીને કેાઈ કહે કે આટલું ઝેર ખાઈ જાઓ. કંઈ વાં નહિ આવે, તે તે ખાવા પણ કઈ તૈયાર નથી. કારણ કે સર્પના રાફડા પાસે નિશ્ચિત બનીને સૂવું, સર્પની દાઢમાં હાથ નાંખવે ને ઝેર ખાવું એ ત્રણે વિષમ કાર્ય છે. સર્પના રાફડા પાસે સૂવા જઈએ ને સર્પ કરડે તે? સર્પ કરડે તે શું થાય? સર્પનું ઝેર ચઢે. એ ઝેર ઉતારનાર કેઈ મળી જાય તે માણસ જીવી જાય ને ઝેર ઉતારનાર ન મળે તે માણસ મરી જાય. હું તમને પૂછું છું કે સર્પ કરડે ને માણસ મરી જાય તે તેના કેટલા ભવ બગડે ? આ એક જ ને? તમે પણ કહે છે ને કે દાળ અગર શાક બગડે તે દિવસ બગડે. અથાણું બગડે તે વર્ષ બગડે ને પત્ની બગડે તો શું બગડે ? બેલે. જિંદગી બગડે. સાપ કરડે તો જિંદગી જાય. જ્ઞાની કહે છે હે જીવ ! જો તું સમજે તે સર્પના રાફડા સમાન આ સંસાર છે, ધન દેલત અને કુટુંબ પરિવારમાં આસકિત રાખવી તે સર્પના ઝેર સમાન છે. બંધુઓ ! આજે તમે સાપથી ડરે છે. અરે, દર પાસે જતાં પણ ભય લાગે છે. કારણ કે તમને ખબર છે કે સાપ ઝેરી છે. કરડે તે મરી જવાય. પણ તમે જરૂર એટલું સમજી લેજે કે સાપ તો આ એક ભવ મારનાર છે જ્યારે સંસારમાં રહેલા ધનાદિ પદાર્થોની મમતા તો ભભવ મારનારી છે. તમને સર્પનો ડર લાગે છે પણ પાપથી ડરે. જે માણસ સંસાર રાફડો છે એવું માને તે ક્ષણે ક્ષણે પાપથી ભયભીત રહે. પણ હજુ તમને સંસાર સર્પના રાફડા જેવું લાગ્યું નથી એટલે નિર્ભયતાપૂર્વક આનંદ કરે છે. પણ જે સંસાર સર્પને રાફડે છે એ વાત તમારા હૈયામાં બરાબર ઉતરી જાય તે તેને સંસારને ભૌતિક આનંદ એ સરી જાય ને પાપ કરતાં ભયભીત રહે. કારણ કે સંસાર એ સપને રાફડે છે એવું જેને સમજાય છે તેને એટલે તે જરૂર વિવેક હોય છે કે પાપના ફળ કડવા છે. એ પાપના કડવાં ફળ ભોગવવા માટે નરક-તિર્યંચ ગતિમાં જવું પડશે. ત્યાં નારકીનું ઓછામાં ઓછું આયુષ્ય દશ હજાર વર્ષનું અને વધુમાં વધુ તેત્રીશ સાગરોપમનું છે. ૨૮
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy