SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૧૪૫ हृद्वर्तिनि त्वयि विभो ! शिथिली भवन्ति, जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः सद्या भुजङ्गममया इव मध्यभाग, मभ्यागते वनशिखण्डिनि चंदनस्य ॥ હે ભગવંત! જે મનુષ્ય તને હૃદયમાં ધારણ કરે છે તેના ગઢમાં ગાઢ કર્મોના બંધન ક્ષણવારમાં શિથિલ બની જાય છે. કેવી રીતે? જેમ ચંદન વૃક્ષને ઝેરી સર્પો વીંટળાયેલા હોય છે પણ જે તે વનમાં મોરને ટહુકાર થાય તે સર્વે તરત પલાયન થઈ જાય છે. કારણ કે મેર સર્પને કટ્ટો શત્રુ છે. અહીં સમજવાનું એ છે કે ચંદન વૃક્ષને સર્પો સદા વીંટળાયેલા રહે છે પણ સર્ષમાં સુગંધ કે શીતળતા આવતી નથી. તેમ આપણો આત્મા નિશ્ચયનયની અપેક્ષાએ ચંદન વૃક્ષ જે શીતળ અને સુગંધીવાળે છે. પણ તેના ઉપર ક્રોધ-માન-માયા-લોભ તથા વિષય કષાયના ઝેરી સર્પો વીંટળાઈ ગયા છે. એ સર્વેને ભગાડવા માટે વીતરાગ વાણી રૂપી મેરલાને એક ટહુકાર બસ છે. આત્મ ચંદન પર કર્મ સર્પનું, નાથ અતિશય જર, તે દુષ્ટોને દૂર કરવા આપ પધારો મોર, આવો આવો હે વીર સ્વામી મારા અંતરમાં (૨) આવે. આત્મા રૂપી ચંદન વૃક્ષ ઉપર વિષય અને કષાયો રૂપી સર્પનું ભયંકર ઝેર ચઢી ગયું છે. તેને ઉતારવા માટે અત્યારે ખુદ વીતરાગ પ્રભુ આપણી સામે ઉપસ્થિત નથી પણ વિતરાગના વારસદાર સંત રૂપી મારલાઓ તમારી પાસે વીતરાગ વાણીને મીઠે ટહુકાર કરે છે કે જે તમારે શીતળતા અને સૌરભ જોઈતી હોય તે કષાયોને કસાઈ જેવી ક્રૂર સમજીને દૂર કરે ને વિષયોનું વમન કરે. નહીતર સર્ષ ચંદન વૃક્ષ ઉપર પડયા રહેવા છતાં જેમ શીતળતા કે સૌરભ પામી શકતું નથી કારણ કે તેનામાં ઝેર ભર્યું છે. તેમ તમે દરરોજ ઉપાશ્રયમાં આવીને સંતના પડખામાં બેસી જાઓ તેથી શીતળતા નહિ મળે. પણ ક્રોધ-માન-માયા-લભ-મોહ-મમતા-નિંદા અને ઈર્ષાના ઝેર કાઢે તે શીતળતા મળે ને આત્મસ્વરૂપનું ભાન થાય. બંધુઓ ! તમે વિચાર કરે. વર્ષોથી વીતરાગ ભવનમાં આવે છે. બોલે, કેટલી કષાયો ઓછી કરી ? હેજ આપણું ધાર્યું ન થાય તે તરત ક્રોધ આવે છે. કે હેજ અણગમતે શબ્દ કહે તે તરત ધમધમી ઉઠે છે. બોલ હવે શીતળતા કયાંથી મળે ? આત્મારૂપી ચંદન ઉપર કર્મો રૂપી સર્પો વીંટળાઈ ગયા છે તેને દૂર કરવા માટે વીતરાગ વાણીનું આલંબન લેવું પડશે, મેરના એક ટહુકારથી ચંદન વૃક્ષ ઉપર ચેટીને રહેલા સર્પો ચંદન વૃક્ષને છોડીને આમ તેમ ભાગવા માંડે છે. કારણ કે સર્ષ મેર અને ગરૂડની સામે ઉભે રહી શકતો નથી. તેમ વીતરાગ વાણીને ટહુકાર સાંભળીને કર્મો રૂપી સર્પો પણ ભાગવા માંડે છે. શુદ્ધ ભાવથી વીતરાગ વાણી સાંભળો તે કર્મના બંધને આપે આપ તૂટવા માંડે છે. જ્યાં સુધી વીતરાગ વાણુને ટહુકાર
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy