SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીતતા ગાણપત્ય સપ્રદાયમાં હું અવાન્તર શાખાએ છે. મહાગણપતિ પૂજક સંપ્રદાય, હરિદ્રા ગણપતિ સ ́પ્રદાય, ઉચ્છિષ્ટ ગણપતિ સંપ્રદાય, બીજા સંપ્રદાયામાં ગણેશ ક્રમશઃ નવનીત, સ્વણ્ અને સંતાનરૂપમાં પૂજાય છે. ૧૭ પંચાયતન પૂજા પર પરાના પ્રત્યેક અનુષ્ઠાન, ઉત્સવ, વિધાન અને સ`સ્કારમાં ગણેશ-પૂજન એક પ્રથમ ઉપચાર છે. બૌદ્ધ ધર્મ : ભગવાન મુદ્દે સ્થાપેલા બૌદ્ધ ધર્મમાં મૂર્તિ પૂજાને સ્થાન ન હતું. તેમના નિર્વાણ પછી બ્રાહ્મણ અને જૈન ધર્મોની સાથે ટકી રહેવા માટે બૌદ્ધ ધર્મમાં મૂર્તિ પુજાની માંગ વ્યાપક બની. ઈ. સ. પૂ. પહેલી સદીમાં મથુરામાં ભાગવત ધમ પ્રચલિત હતા. તેમાં વાસુદેવ સંકÒષ્ણુની પૂજા મુખ્ય હતી. ધણા સમયથી બૌદ્ધ સ ંપ્રદાયમાં પણ અનુયાયીએની ભાવનાને સ ંતાષવા પ્રતીક પૂજા અપનાવાઈ હતી. મથુરાકલામાં ખેાધિવૃક્ષ, ધમાઁચક્ર, સ્તૂપ, ત્રિરત્ન, ભિક્ષાપાત્ર, પૂર્ણાંક ભ વગેરે પ્રતીકાનાં શિલ્પ મળે છે. છતાં બુદ્ધની પ્રતિમાની માંગ ધીરે ધીરે વધતી ચાલી અને કુષાણ સમ્રાટ કનિષ્ટ ૧ લાના સમયમાં યુદ્ધની માનવકદની પ્રતિમા ધડાઈ. ત્યારથી બૌદ્ધ ધર્માંમાં પ્રતિમા પૂજા પ્રવેશેલી જણાય છે. જૈનધમ : જૈન ધર્માંમાં પ્રતિમા પૂજાની પર’પરા ધણી પ્રાચીન છે. હાથીગુ ક઼ા અભિલેખ પરથી શૈશુના અને નંદ રાજાઓના સમયમાં જૈન પ્રતિમા-પૂજા પ્રચલિત હાવાનુ` માલૂમ પડે છે. કૌટિયના અથ શાસ્ત્રમાં નિર્દિષ્ટ જયન્ત, વૈજયન્ત, અપરાજિત વગેરે દેવાને જૈન દેવતા જ માન્યા છે. જૈન તીર્થંકરાની મૂર્તિએ બનાવવા પાછળના હેતુ એ હતા કે તેઓ અનુયાયીએને સ્મરણ કરાવે કે કેવા કપરા સ‘જોગામાંથી પસાર થઈને તેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યુ. તીથ`કરાની મૂર્તિ એ મંદિરમાં પ્રતિષ્ઠિત થાય છે તે વખતે જે સ્તાત્રો એલાય છે તેને કલ્યાણક કહે છે. તીર્થંકરાના પૂજનમાં કલ્યાણ્યા મનાવવાના રિવાજ ઘણા જૂતા છે. જૈનમૂર્તિ એમાં તીથ કરા ઉપરાંત દેવદેવીએની પ્રતિમાએ પણ થવા લાગી. તેમાં યક્ષ્ા અને યક્ષિણીએની પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. પ્રત્યેક તીથંકરને એક યક્ષ અને એક યક્ષિણી હેાય છે. જૈનમમાં યક્ષ્ા અને યક્ષિણીએતે જિન ભગવાનના અનુચરા તરીકે ઓળખવામાં આવે છે. તીર્થંકરાના અનુચા સિવાય
SR No.023337
Book TitleBharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Original Sutra AuthorN/A
AuthorJ P Amin
PublisherUniversity Granthnirman Board
Publication Year1982
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy