SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ SSSSSSSSSSSSSSSSSsssss સંસારીપણુમાં ગામ કપડવણજના વત્ની ધ્યાનસ્થસ્વર્ગત આગમોદ્ધારક પ. પૂ. આ. ભ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૦૦માં અત્રે (ગોધરામાં) શ્રી શાંતિનાથજી દેરાસરની પેઢીની સ્થાપના કરાવી. તેઓશ્રીની નિશ્રામાં શેઠ મહાસુખલાલ મનસુખલાલ તથા શેઠ છોટાલાલ મનસુખલાલે ઉપાશ્રય માટે મકાન સમર્પણ કર્યું. તેઓશ્રીના શિષ્ય સંસારીપણે કપડવણજના વત્ની આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મ. મુનિશ્રીજનકસાગરજી મ. મુનિશ્રી પ્રમોદસાગરજી મહારાજે સં. ૨૦૧૪–૧૫-૧૬ એમ ત્રણ ચાતુર્માસ કર્યા. તેઓશ્રીની નિશ્રામાં સં. ૨૦૧૪ના શ્રાવણ માસમાં દેરાસરને જીર્ણોદ્ધાર કરવાનું મુહૂર્ત થયું. સં. ૨૦૧૫ના પિષ સુદ–૭ના દેરાસરની વિસર્જન વિધિ થઈ. પો. સુ. ૧૦ને ખનન મુહૂર્ત થયું અને ફાગણ વદ-૧૦ના બને મંદિરને શીલા સ્થાપન વિધિ થયો. આ રીતે તેઓશ્રીની દેખરેખ અને દરવણું નીચે અમારા શ્રીશાંતનાથ ભગવાનનું ત્રણ શિખર અને વિશાલ મંડપવાળું દેવ વિમાન જેવું મનોહર મંદિર થયું. વળી સં. ૨૦૪૦નું અમારા પુન્યોદયે અત્રે ચાતુર્માસ થયું. તેઓશ્રી ચાતુર્માસમાં કપડવણજની ગૌરવ ગાથાના અપૂર્વ પુસ્તકનું સંપાદન કરતા હતા, આથી અમોએ જ્ઞાન ખાતામાંથી સારે સહકાર આપ્યો. અમે તેઓશ્રીને ભાવથી નમસ્કાર કરીએ છીએ. શ્રીવીશી નીમા જૈન સંઘ ગેધર (પંચમહાલ)
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy