SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જય વીયરાય ગુરુ બહુમાન એ જ શુભોદયાનુબંધ છે. અર્થાત્ ગુરુ બહુમાનનો ભાવ થયો એટલે તમારો શુભોદય ચાલુ થઈ ગયો. ખાલી ઉદય જ નહિં પણ શુભ ઉદયની પરંપરા શરુ થઈ ગઈ. આરાધનાનો ઉત્કર્ષ થતો જાય છે. શુભોદયના અનુબંધથી શુભની પરંપરા શરુ થાય છે. तथा भवव्याधिचिकित्सको गुरुबहुमान एव, हेतुफलभावात्। સંસારરુપી વ્યાધિનો ચિકિત્સક ગુરુબહુમાન જ છે. ફળમાં કારણરુપ છે માટે... 'न इओ सुंदरं परं । उवमा इत्थ न विज्जइ । ગુરુ બહુમાનથી બીજુ અધિક સુંદર કાંઈ જ નથી. ગુરુ બહુમાનને કોઈ ઉપમા આપી શકાય તેમ નથી. કોઈ સાથે સરખાવી શકાય તેમ નથી. આવા મહામહિમાશીલ ગુરુ બહુમાનને ધારણ કરવા પૂર્વક ગુરુના વચનનું પાલન કરવું એ જ આપણું કર્તવ્ય છે. છેક મોક્ષ સુધી આ ગુરુવચનનું પાલન આપણને લઈ જશે. પ્રતિપક્ષી ગુરુવચનનો અસ્વીકાર કરવાથી, અવજ્ઞા કરવાથી અશુભ અનુબંધો પડે છે. પૂર્વના અશુભ અનુબંધો મજબુત બને છે. સદ્ગુરુની પ્રાપ્તિ ભાવિમાં
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy