SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ -- ભારતીય પ્રાચીન શિલ્પકલા સંપ્રદાયે બુદ્ધની મૂર્તિપૂજા અપનાવી હોવાથી આ વિસ્તારમાં આ નવીન શૈલીએ બુદ્ધ અને બોધિસત્વેની મૂર્તિઓ ઘડાવા લાગી. વિદેશી પ્રભાવવાળી આ શૈલી ૫ મી સદી પછી લુપ્ત થઈ અને ગંધાર પ્રદેશમાં પણ અન્ય પ્રદેશોની જેમ સર્વથા ભારતીય શૈલી પ્રચલિત બની. ગંધાર શૈલીએ સમકાલીન ભારતીય શૈલીઓ પર પ્રભાવ પાડ્યો હતો. ભારત બહાર આ શૈલીને પ્રભાવ પાપક હતો. પૂર્વ અને ચીની તુર્કસ્તાન, મોંગોલિયા, ચીન, કોરિયા અને જાપાનની બૌદ્ધ શિલ્પકલાનું ઉદ્ભવ સ્થાન આ શૈલીમાં રહેલું જણાયું છે. આ શૈલીનાં કેટલાંક તરી આવતાં લક્ષણો આ મુજબ ગણાવી શકાય : ૧) એમાં ગ્રીક મૂર્તિકલાની વાસ્તવિકતા અને ભારતીય ક્લાની ભાવમય આધ્યાત્મિક અભિવ્યંજનાનો સમન્વય કરવાનો પ્રયત્ન થયો છે. ૨) માનવ અંગેને વિગતે રેખાંકિત કર્યા છે. અંગ-પ્રત્યંગે અને ખાસ કરીને સ્નાયુઓ મૂછો વગેરેની સૂક્ષમતા તરફ વિશેષ ધ્યાન અપાયું છે. ૩) વસ્ત્ર પરિધાનની શૈલી નિરાળી છે. મોટાં વસ્ત્રો દર્શાવતી વખતે વસ્ત્રોની વલ્લીઓ (કરચલી) સૂક્ષ્મ રીતે બતાવી છે. શરીરને ચોંટેલાં અને અંગ પ્રસંગ બતાવે એવાં ઝીણાં કે પારદર્શક વસ્ત્રો અંકિત થયાં છે (આકૃતિ ૨૧). ૪) નકશી કામ અનુપમ છે. અલંકરણો વિસ્તૃત છે અને પ્રતીક જટિલ છે. ૫) બુદ્ધની આકૃતિ-નિર્માણમાં કલાકારોએ સ્વતંત્રતા લીધી છે. તેથી બુદ્ધની મૂર્તિ - એપોલો જેવી બની ગઈ છે. પેશાવર, રાવલપિંડ, સ્વાતની ખીણની આજુબાજુના પ્રદેશોમાં તેમજ કાબુલની ખીણમાંથી અનેક બૌદ્ધ સ્થાપત્યાવશેષો પ્રાપ્ત થયા છે. આમાં મુખ્યત્વે છે અને વિહારોના અવશેષ મળ્યા છે. આમાંના છૂપોને સામાન્ય ઘાટ અને તલદર્શન ભારતીય છે, પરંતુ તે પરની વિશિષ્ટ કોતરણી (carving) પર ગ્રીક (યુનાની Hellenic) અસર સ્પષ્ટ વરતાય છે. સ્તની ભરણી કે શિરાવટીઓ છાપરાના ત્રિકોણાકાર છેડા (pediments) પ્રસ્તાર કે વિતાન (entablature), કાનસ (cornice) અને તેની નીચેના ટેકાઓ (brackets) વગેરેના કોતરકામમાં આ અસર સ્પષ્ટ વરતાય છે. તે મૂર્તિશિલ્પમાં તે આ શૈલોને પ્રભાવ વિશેષ પ્રમાણમાં દેખા દે છે. આ પ્રદેશના સ્તૂપની એક વિશેષતા તેની રૂપક્ષમ કે રૂપાત્મક આભૂષણ (plastic ornamentation)માં રહેલી છે. તેનાં વિવિધ થરવાળાં (tiers , mouldings) કાન, ગવાક્ષો, તેરણ કે કમાનની હારમાળાઓ (arcades), ઘોડા કે ટેકાઓ વિવિધ સુશોભન, રૂપાંકનો કે ઘાટથી અલંકૃત કરવામાં આવ્યા છે. તક્ષશિલાનો ધર્મ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy