SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : ૩ : વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા અને ઇન્દ્ર વચ્ચેના વિગ્રહમાંથી નિષ્પન્ન થઈ છે. મહાસમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ નાગ–અનંત શેષનાગને વિષણુના વાહન તરીકે કલ્પવામાં આવ્યો છે. નાગ પાતાલલોકના અધિપતિ હતો. એ દેવતા રૂપમાં સ્વીકારાયો. વૈદિક કથાઓમાં નાગને મૃત્યુ તમ (અંધકાર) અને અનત (અસત્ય)ના પ્રતીક તરીકે ઉલ્લેખ્યો છે. બુદ્ધ, મહાવીર અને દેવેની કોટિના જીવનમાં નાગનું સ્થાન છે. ઇન્દ્ર જેમ વૃત્ર નામના અહિ (નાગ)નું દમન કર્યું હતું તેમ બુદ્ધ અપલાલ, મહાવીરે ચણ્ડ અને કૃષ્ણ કાલિયા નાગને વશ કર્યા હતા. અર્ધનારીશ્વર નરનારીના સંયુકત દેહની કલ્પનામાંથી આ રૂપ આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણ અંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને “ઘાવા–પૃથિવી' કહ્યાં છે, જે વિરાટ સુષ્ટિનાં આદ્ય માતા-પિતા છે (થી: પિતા પૃથિવી માતા). એમને જ પાર્વતીપરમેશ્વર કે ઉમામહેશ્વર કહ્યાં છે. (ગમત: fષત વન્ડે પાર્વતીપરમેશ્વરી), વેદોમાં આ તંદ્રને સ્ત્રીપુરુષ અથવા કુમાર-કુમારી કહ્યાં છે (વં સ્ત્રી વં પુમાનસિ ā કુમાર વતવા મારી. અથર્વ. ૧૦૮. ૨૭) વૃંદ તો એટલે સુધી કહે છે કે પ્રત્યેક સ્ત્રી અર્ધભાગમાં પુરુષ અને પ્રત્યેક પુરુષ અર્ધભાગમાં સ્ત્રી છે. સ્ત્રી : સતત ૩ મે | ગાડું: ૭, ૧૬૪, ૧૬). અર્ધનારીશ્વરનું રૂપ આ પ્રયોજનને સ્પષ્ટ કરવા આકાર પામ્યું છે. કુવાણ, ગુપ્ત અને મધ્યકાલીન કલામાં તે આ સ્વરૂપે આકાર પામ્યું, પરંતુ સાહિત્યમાં તો તેનું આયોજન છે. પૂર્વે થઈ ચૂક્યું હતું. કુમાર એને દેવસેનાના પતિ, અગ્નિ અને ગંગાનો પુત્ર કહ્યો છે. તે વિરાટપ્રાણ કે જીવન-તત્વનું પ્રતીક છે. એની સંજ્ઞા સ્કન્દ છે. કુમારને “માતુર” એટલે કે છ માતાનો પુત્ર કહ્યો છે. એના કલા-વિદ્યાનમાં એને છ મસ્તક દેખાડવામાં આવે છે. એનું વાહન કૂકડો તથા મયૂર છે અને આયુધ શકિત (ભાલો) છે. સ્કન્દ અને તારકાસુર વચ્ચેના યુદ્ધની પૌરાણિક આખ્યાયિકાનું આધ્યાત્મિક મૂલ્ય આ પ્રમાણે છે. ત્યાં કુમાર વિજ્ઞાનાત્મક દિવ્યતેજનું પ્રતીક અને તારકાસુર ઈન્દ્રિયાનુગામી મનનું સૂચક સ્વરૂપ છે. બન્ને વચ્ચેના સંઘર્ષમાં વિજ્ઞાનની જ જીત થાય છે. તારકનો અર્થ તારા અથવા ચંદ્રમા પણ થાય છે, જેની ઉત્પત્તિ નારાયણ–પુરુષના મના નાત: (ઋ. ૧૦, ૯૦, ૧૩) મનાય છે. પુરુષની રચનામાં ત્રણ કુમાર રહેલા ભા. પ્રા. શિ. ૩
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy