________________
પ્રકાશકનું પુરવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. એ હેતુથી કેન્દ્રીય સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકો અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાન ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે.
આ યોજનામાં રાજપની યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને અન્ય વિદ્વાને દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠયપુસ્તકો અને અન્ય સંદર્ભ ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે. અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે.
ગુજરાત રાજયમાં વિનયન વિદ્યાશાખાના ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના વિષયના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથે મળી રહે તે હેતુથી આ યોજના અન્વયે તૈયાર થયેલું પુસ્તક ભારતીય પ્રાચીન શિલ્પકલા પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરો એ વાતે થાય છે કે પુસ્તકના લેખક ડો. પ્રવીણચંદ્ર ચિ. પરીખ એ વિષયના જ્ઞાતા છે અને પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ વિદ્યાર્થીઓને આપવાનું એમણે સ્વીકાર્યું છે.
આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓને અને જિજ્ઞાસુઓને તેમજ શિલ્પકલાના રસિકોને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે. આ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદજુલાઈ, ૧૯૭૮
જે. બી. સેંડિલ
અધ્યક્ષ