________________
-૧ અનુમૌર્યકાલીન શિલ્પકલા - કરતા બતાવ્યા છે. વિષ્ણુ અને વાસુદેવ ઉપરાંત બલરામનાં શિલ્પો પણ અહીંથી મળ્યાં છે.
બલરામની પ્રતિમાઓમાં એમના મસ્તક પર ભારે પાઘડી, કાનમાં કુંડળ, ખભા પર ઉત્તરીય ને કટિ પર છેતી જોવા મળે છે. બલરામે જમણા હાથમાં મુશળ અને ડાબા હાથે ખભા પર હળ ધારણ કર્યું છે. આમ તેમનું સ્વરૂપ યક્ષમૂર્તિઓને મળતું છે. મથુરાના જુનસુટી ગામમાંથી મળેલી અને અત્યારે લખની મ્યુઝિયમમાં સુરક્ષિત રાખેલી પ્રતિમા આ સ્વરૂપનું સરસ દૃષ્ટાંત છે. એમાં બલરામના મસ્તક પર સર્પફણા અને પીઠ પાછળ સર્પ-કુંડળી અંકિત કરી છે.
મથુરાકલામાં સૂર્ય પ્રતિમા વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આ કાલની સૂર્ય-પ્રતિમાઓનો પહેરવેશ રાજવી જેવો છે. મોટી પાઘડી, લાંબો કોટ, કમર પટો, પગમાં ઢીંચણ સુધી પહોંચતાં જોડા, એ આ પ્રતિમાની વિશેષતા છે. શરૂઆતની પ્રતિમાઓમાં - સૂર્યને બે ઘોડાના રથમાં પછીથી ચાર ઘોડાના અને છેવટે સાત ઘોડાના રથમાં
બેઠેલા દર્શાવાયા છે. પર્યકલીલાસનમાં બેઠેલા સૂર્યના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળનો ગુચ્છ હોય છે. આ પ્રકારનું મૂર્તિવિધાન ઈરાનમાંથી • “મિશ”—કે “મિહિર”—પૂજામાંથી શક-કુષાણ લોકો પોતાની સાથે ભારતમાં લાવ્યા - હોવાની સંભાવના જણાય છે. મથુરામાંથી શિવની લિંગસ્વરૂપની અને માનુષસ્વરૂપની
એમ બંને પ્રકારની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. લિંગપ્રતિમાઓમાં સાદાં શિવલિંગ ઉપરાંત એક મુખ (આકૃતિ ૨૮) અને પંચમુખ લિંગ પણ પ્રાપ્ત થયાં છે. આ કે લિંગ પ્રતિમાઓ મથુરા પ્રદેશમાં પાશુપત સંપ્રદાયના પ્રસારની સૂચક છે.
કુયાણ નરેશ વેમ કદફીસના સિકકાઓ પર બે હાથધારી શિવે એકહાથે ત્રિશૂલ અને બીજા હાથે જવપાત્ર ધારણ કરેલું જોવા મળે છે. તે તેના તાંબાના સિકકાઓ પર શિવનું મસ્તક કંડારેલું છે. કનિષ્ક અને હવિષ્કના સમયમાં શિવનું મૂર્તિ વિધાન બે હાથને બદલે ચાર હાથનું થવા લાગ્યું અને બીજા બે હાથમાં વજ અને અંકુશને આયુધ તરીકે ઉમેરો થયો. હવિષ્કના કેટલાક સિક્કાઓ પર ત્રિમુખ શિવની આકૃતિ છે. આ સિક્કાઓ મથુરા વિસ્તારમાં પ્રચલિત શિવપૂજા અને શિવના
મૂર્તિ વિધાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. મથુરા શૈલીએ ઘડાયેલા નંદીકેશ્વર, અર્ધ- નારીશ્વર અને શિવપાર્વતીની મૂર્તિઓ નોંધપાત્ર છે. નંદીકેશ્વરપ્રતિમામાં શિવ - નંદીને આશ્રય લઈ ઊભેલા છે. અર્ધનારીશ્વરમાં જમણા અધ પુરુષઅંગમાં મસ્તકે - જટામુકુટ અને કટિ પર વ્યાઘચર્મ અને ડાબા અ નારીઅંગમાં મસ્તકે સુંદર કેશુક્લાપ, કાનમાં કુંડળ અને કટિ ઉપર અધોવસ્ત્ર ધારણ કરેલું દર્શાવ્યું છે. પુરુષ-અંગમાં ઊર્ધ્વશિરા અને સ્ત્રી-દેહમાં એક સ્તન બતાવ્યું છે. શિવ-પાર્વતી