SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધર્મ સંપ્રદાય સમાજની તળપદી ભાષામાં ગરબીઓ અને ધોળા દ્વારા આ સંપ્રદાયમાં વર્ણવેલી ભક્તિનો મહિમા ગાયે. મંજુકેશાનંદે લગભગ ૪000 કાવ્ય રચ્યાં છે તેમાં વૈરાગ્ય અને ગુરુમહિમા ગાય છે. દેવાનંદ સ્વામીનાં કાવ્ય સ્ત્રીવર્ગમાં ઘણું જ લોકપ્રિય હતાં. સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં સ્વામી ગોપાલાનંદ નામે એક સંત થઈ ગયા. તેમણે પોતાના ઉપદેશ દ્વારા આ પ્રદેશમાં આ સંપ્રદાયને ઠીક ઠીક પ્રચાર કર્યો હતે. સ્વામિનારાયણની સંપ્રદાયની સમાજ પર અસર સહજાનંદ સ્વામીએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. તેમણે સ્થાપેલા સ્વામિનારાયણ સંપ્રદાયની તત્કાલીન ગુજરાતી સમાજ પર વ્યાપક અસર પડી. સમાજમાં તેમના ઉપદેશથી ક્રાંતિ આવી. સ્ત્રી અને પુરુષ બંને મોક્ષના અધિકારી છે-આ ભાવના વિકસી. પતિ પાછળ સતી થનાર સ્ત્રીઓને મેક્ષ થઈ શકતો નથી. આ વિચારને વહેતા કરી સતીપ્રથાની બદી બંધ કરવામાં મહત્ત્વને ફાળો આપ્યો. તેમના ઉપદેશથી સમાજમાંથી બાળહત્યા કે કન્યા કે સ્ત્રીની હત્યા, ભૂતપ્રેત, ડાકણ વગેરે વિશેની માન્યતા, વળગણ રોગની માટેની વહેમી માન્યતાઓ વગેરે દૂર થઈ. સમાજમાંથી અંધશ્રદ્ધા ધીરે ધીરે ઓછી થવા લાગી. સમાજમાં શ્રમજીવીઓમાં સદાચારને મહિમા વધે. ઘણા લોકેએ તેમના ઉપદેશથી આકર્ષાઈ દારૂ, અફીણ જેવાં કેફી વ્યસને છોડી દીધાં. હિંસા, યજ્ઞો દૂર થયાં. પરિણામે અનેક લેકે શારીરિક અને આર્થિક બરબાદીથી બચી ગયા. સાદુ અને સદાચારી જીવન ગાળવા લાગ્યા. સમાજમાં આરોગ્યની ભાવના વિકસી. લેકે યથાશક્તિ ભવિષ્ય માટે ધન-ધાન્ય, ઘાસ વગેરેને સંગ્રહ કરવા લાગ્યા. લેકે ઉદ્યમી રહેવા લાગ્યા. જે ધન-ધાન્ય પ્રાત્પ થાય તેમાંથી યથાશક્તિ દાન આપવાની પ્રથા વધી. સાધુસંતે માટેની આચારસંહિતાએ આ સંપ્રદાયના સાધુઓનું મહત્ત્વ વધાર્યું. અષ્ટાંગ બ્રહ્મચર્ય, ધર્મધ્યાન, કથાવાર્તા દ્વારા સમાજસેવા, લેકહિતાર્થે સમાજમાં ફરતા રહેવું, પાઠશાળાઓ અને સદાવ્રત ચલાવવાં વગેરે દ્વારા સમાજમાં જનસેવાની ભાવના વિકસી. લેકેને સમજાયું કે ધર્મ દેવળ આધ્યાત્મિક જીવન પૂરતો મર્યાદિત નથી પણ ભૌતિક જીવનને પણ સાંકળી લે છે. ભૌતિક જીવન જેટલું ઉજજવળ અને પૂણ્યવાન તેટલું જ આધ્યાત્મિક જીવન મહાન. માટે નવા ધર્મસ્થાને બાંધીને ધર્મના કાર્યને વિકસાવવું એ માનવી માત્રને ધર્મ છે. આ સંપ્રદાય દ્વારા લોકોમાં આરોગ્ય અને વાણીની શિક્ષાને પ્રચાર થયે. તેનાથી અનેક સંઘર્ષો દૂર થયા, અનેક રેગે ફેલાતા અટકી ગયા.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy