________________
૪૮
ગુજરાતના ધમ સંપ્રદાય વિઠ્ઠલનાથજીએ કર્યું. તેમણે કૃષ્ણભક્તિ, રાસક્રીડા વગેરેને મહિમા ગાયે. કૃષ્ણની શૃંગારલીલાનું શ્રવણ-કીર્તન ભક્તિનું એક અંગ મનાવા લાગ્યું. સ્ત્રીઓ પુષ્ટિભક્તિની અધિકારી છે એમ જણાવી, સ્ત્રીઓને પુષ્ટિ માર્ગની લગની લગાડી. આના પરિણામે સમગ્ર ગુજરાતમાં પુષ્ટિ સંપ્રદાયને ઝડપી પ્રચાર થયે. નાના ગામડામાં પુષ્ટિ સંપ્રદાયનાં મંદિર દેખાવા માંડ્યાં, ધીરે ધીરે પુષ્ટિ સંપ્રદાયે ગુજરાતભરમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. પુષ્ટિ સંપ્રદાયના વિકાસમાં પ્રેમાનંદ, દયારામ જેવા કવિઓએ નોંધપાત્ર ફાળો આપે છે. પ્રેમાનંદ ઓખાહરણ, સુદામાચરિત, દશમસ્કંધ, દાણલીલા, દૂડી, શ્રાદ્ધ, મામેરું વગેરે આખ્યાનેકા દ્વારા કૃષ્ણભક્તિનો મહિમા ગાયે, જ્યારે દયારામે શૃંગાર રસ પૂર્ણ ગરબીઓ દ્વારા સખીભાવ પ્રગટ કરી કૃષ્ણભક્તિ મહિમા ગાય. નરસિંહ અને મીરાંએ પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા ગાય.
વિઠ્ઠલનાથજીના સ્વર્ગવાસ પછી એમના સાતપુત્રોની સાત ગાદી સ્થપાઈ અને પુષ્ટિમાર્ગ એક સંપ્રદાય બન્યા. સમય જતાં સ્થાનિક ઉપદ્રવને લીધે ઠાકોરજીનાં સાત સ્વરૂપને પાછળથી અન્યત્ર પધરાવવામાં આવ્યાં. તેમાંનું એક
સ્વરૂપ ઉદયપુરના રાણું રાજસિંહના આગ્રહથી મેવાડમાં સિંહાડ સ્થળે પધરાવવામાં આવ્યું. આ સ્થળ હાલમાં નાથદ્વારા તરીકે ઓળખાય છે, અને પુષ્ટિ સંપ્રદાયનું મુખ્ય સ્થળ ગણાય છે. સાત સ્વરૂપોમાંથી સમય જતાં છઠ્ઠા સ્વરૂપને, સૂરતમાં પધરાવવામાં આવ્યું અને એ રીતે સૂરત ગુજરાતમાં પુષ્ટિ સંપ્રદાયનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું. સંયમ જતાં વ્રજમંડળની સાથે ગુજરાત અને રાજસ્થાન પુષ્ટિ માર્ગનાં કેન્દ્રો બન્યાં. ગુજરાતમાં વણિક જ્ઞાતિઓમાં આ સંપ્રદાય વધારે પ્રમાણે રૂઢ થ.
પુષ્ટિમાર્ગના ગુજરાતી કવિઓમાં નોંધપાત્ર કવિ ગોપાળદાસ છે. કહેવાય છે કે વિઠ્ઠલનાથજીની કૃપાથી તેમની કવિત્વશક્તિ વિકસી હતી. તેમણે રચેલા ગ્રંથનું નામ “વલ્લભાખ્યાન” છે. આ ગ્રંથ ઉપર અમદાવાદના દેશીવાડાની પિોળના નટવરલાલ શ્યામલાલ મંદિરના ગો. શ્રી વ્રજરાયજીએ ટીકા રચી છે. આ સાથે બીજા નાંધપાત્ર ગ્રંથે ગોપાળદાસ વ્યારાવાળા રચિત “પ્રાકટય સિદ્ધાંત,” માધવદાસનું “ગોકુળનાથજીના વિવાહ”, કૃણદાસ ચરોતર(લેઉઆ પાટીદાર)નાં પદો, વગેરે ઘણું કપ્રિય હતાં.
શ્રી વલ્લભાચાર્ય રચિત “મધુરાષ્ટકમ”નું પદ ગુજરાતમાં ઘણું જ લોકપ્રિય ગીત બન્યું છે.