________________
ખ્રિસ્તી ધમ
૧૭૫
વગેરે સ્થળાએ ખ્રિસ્તીમેની સંખ્યા વધવા લાગી. ઈ.સ. ૧૮૭૮માં ભાલેજ નજીક દેવળ અંધાવવામાં આવ્યું. ઈ.સ. ૧૮૮૮માં ૫ંચમહાલ દેવળ બંધાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. આ પછી ધીરે ધીરે ભરૂચ (ઈ.સ. ૧૮૮૬), ડીસા (૧૮૯૧), વઢવાણુ, કેમ્પ (૧૮૯૫), પ્રાંતીજ (૧૮૯૫), ખંભાત (૧૯૭૩) વગેરે સ્થળોએ ખ્રિસ્તી ધર્મ ના પ્રચાર અર્થે મિશનેા સ્થપાયાં.
આમ, ૧૯મી સદીમાં ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મ વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો. ખ્રિસ્તી મિશનરીઓએ સૂરતમાં મુદ્રણાલયની સ્થાપના કરી. દહેવાણુમાં અનાથ આશ્રમ શરૂ કર્યાં. જુદાં જુદાં કેન્દ્રોમાં શાળાએ સ્થાપી. જુદા જુદા સ્થળે દેવળા બંધાવ્યાં. મિશનરી પાદરીએએ સ્થાનિક પ્રજામાં ધર્મના પ્રચાર કરવા પ્રાદેશિક ગુજરાતી ભાષા શીખી લીધી. ગુજરાતી ભાષાનું વ્યાકરણ, તેનેા કાશ, ગુજરાતી વિદ્યાથી એને અંગ્રેજી શીખવા માટેની તૈયાર કર્યાં.
પાઠશાળા'' વગેરે તેમણે
ગુજરાતમાં ખ્રિસ્તીઓનાં વસવાટનાં સ્થળેા :
(૧) ખાસીવાડા (જિ. ખેડા), (૨) રાણીપુર (જિ. ખેડા), (૩) વાલેસપુર (જિ. ખેડા), (૪) ખઢાણા (જિ. ખેડા), (૫) ભાલેજ (જિ. ખેડા), (૬) સૈયદપુર (ભાલેજ પાસે), (૭) બ્રુકહિલ (આણુ ંદ પાસે), (૮) કેરીપુર (બારસદ પાસે, (૯) બ્રાઉનપુર (ભાલેજ પાસે), (૧૦) આશીપુર (ભાલેજ તાબે), (૧૧) મહુ ગમરીપુર, (૧૨) હિરપુર, (૧૩) ટેલરપુર, (૧૪) અરેઠ (જિ. સૂરત), (૧૫) કીકવાડ સૂરત પાસે, (૧૬) રૂસવાડ (સૂરત પાસે), (૧૭) સાંડસપુર (બેારસદ તાળે), (૧૮) ખેારસદ, (૧૯) આણુંદ, (૨૦) ઝાલેાદ (જિ. પ ંચમહાલ), (૨૧),ખંભાત, (૨૨) અંકલેશ્વર, (૨૩) જામનગર, (૨૪) જુનાગઢ, (૨૫) દાહેાદ, (૨૬) પેટલાદ, (૨૭) પારખંદર, (૨૮) ભત્રનાર, (૨૯) વ્યારા, (૩૦) વલસાડ, (૩૧) અમદાવાદ વગેરે. આ સમાં સૂરત, ભરૂચ, ખેરસદ, આણ ંદ, ભાલેજ, અમદાવાદ, શાહવાડી, ઘેધા, રાજકોટ, વગેરે અગ્રગણ્ય મથક હતાં.
ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓનું કાર્ય :
ગુજરાતના ગામડાંની નીચલા વર્ગની વસ્તી વસતી ધીરે ધીરે પશ્રિમના રંગે રંગાવા લાગી, ખ્રિસ્તી મિશનરીઓએ પેાતાના કાર્યની સરળતા માટે આદિવાસીની વસ્તીની વચ્ચે શાળાએ સ્થાપી. નાનાં–મેટાં દેવળા ખાંધ્યાં, ખ્રિસ્તી થનારને વસવાટ, નાફરી વગેરેની સુવિધાએ કરી આપી. શાળાએ દ્વારા તેમનામાં કેળવણીના પ્રચાર કર્યાં. આ કેળવણીના પ્રતાપે આદિવાસી જાતિએના સમાજજીવનમાં