SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્લામ ધર્મ ૧૪૯ છે. ઈસ્લામના પયંગબર સાહેબને ગુરુ માને છે. કુરાનને તેઓ દેવી ગ્રંથ ગણે છે. કુરાનને તેમના ઈમામો અલંકાર અને સરળ દષ્ટાંતો દ્વારા સમજાવે છે. આ ઈમામશાહના અનુયાયી મતિયાઓએ તેમના ધર્મગુરુને પકડવા બદલ ઔરંગઝેબના સમયમાં ભરૂચમાં તોફાન કરી શરૂઆતમાં ભરૂચ શહેરને કબજે કર્યું હતું, પણ પાછળથી બાદશાહના સૈન્ય સામે તેઓ ટકી શકયા નહિ. ઔરંગઝેબના હુકમથી તેમને ઉપર સખ્ત ત્રાસ ગુજારવામાં આવ્યા હતા આજે આ પંથ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. (૨) મહેદવી પંથ : આ પંથના અનુયાયીઓ ગુજરાતના ઘણાખરા ભાગમાંથી મળી આવે છે. કેટલાક ધર્માતર કરીને મુસલમાન થયેલા છે. તેઓ મોટે ભાગે “ગયર મહેંદી” અર્થાત કયામત પહેલા આવનારા ઈમામ મહેંદીમાં શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ ગયર મહેંદી ઉપનામને સ્વીકારતા નથી. તેઓ મેહમ્મદ મહેંદી જેનપુરીના અનુયાયીઓ છે અને પોતાને “મહેદવી” તરીકે ઓળખાવે છે. મેહમ્મદ મહેંદી જેનપુરી વિશે કેટલીક અનુશ્રુતિઓ પ્રચલિત છે. એક અનુશ્રુતિમાં જણાવ્યું છે કે “એક વખત એક જુવાન માણસે પિતાની માશુક સાથે આખી રાત ગાળી હતી. પરંતુ પ્રભાતમાં તેની સાથે કચ્છઓ થતાં, તે ગુસ્સામાં સીધે સાબરમતી નદી તરફ ગયા હતા. આ વખતે સૈયદ મોહમ્મદ પોતાના કેટલાક મુરીદે સાથે સવારની નમાજ પઢવા નદી ઉપર જઇ રહ્યા હતા. તેમણે આ યુવાનને જોઈ કહ્યું કે, દુન્યવી ઇશ્ક તરફ ગુસ્સામાં માં ફેરવીને આવેલાને હું ઈશ્ક હકીકને રસ્તો દેખાડું. આ સાંભળતાં યુવાન એકદમ ચીસ પાડીને પગમાં પડી ગયે. ભાનમાં આવતાં તે વલી શખ્સને ચુસ્ત મુરીદ બની ગયું. તેણે સંસારને ત્યાગ કર્યો. બીજી અનુશ્રુતિમાં જણાવ્યું છે કે, “એક દિવસ તેમણે પિતાના એક શિષ્યને કહ્યું કે “હું તમને તમારાં જ ચક્ષુથી અલ્લાહને બતાવું.” આ વાતની અમદાવાદને ઉલેમાને ખબર પડતાં, તેણે સૂબાને આ માટે ફરિયાદ કરી. શહેર કાજીએ તેમને પૂછયું કે “તમે ઈમ એટલા માટે મેળવ્યાં છે કે એક સૈયદને કતલ કરવામાં આવે ?' આ મતભેદને લીધે સૈયદ અમદાવાદ છેડી પાટણ ચાલ્યા ગયા. તેઓ અવનવા ચમત્કાર બતાવી લોકોની મુશ્કેલીઓ દૂર કરતા. આથી લેકે તેમના તરફ સદ્દભાવ રાખતા.”
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy