SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫. અષ્ટાલિકા વ્યાખ્યાન અઠ્ઠાઈઓના કહેનાર કોણ? અઠ્ઠાઈઓ કેટલી અને તેણે કહી છે? અઠ્ઠાઈઓ છે કહી છે. કેણે કહી? અમુક તિથિએ અમુક જ ધર્મ આરાધન ફાયદો કરી શકે એ કોણ જાણી શકે? અમુક દવા અમુક ફાયદો કરશે એ વૈદ્ય ડોકટર જાણે છે, તેવી રીતે ધર્મકાળના સ્વભાવને જાણે એ મનુષ્ય અઠ્ઠાઈ કહેનારા હોય તે અઠ્ઠાઈ પર્વની આરાધના કરવા દરેક તૈયાર. થાય, આથી અત્ર ખુલાસે કરે છે કે સ્યાદ્વાદ અને અભયને દેનાર ઉત્તમ પુરુષેએ આ કહેલું છે. સ્યાદ્વાદનું રહસ્ય ચામોત્તમૈ–સ્યાદ્વાદ એટલે શું ? “જેની ને તેની હા" હા તેની ના એનું નામ સ્યાદ્વાદ નથી. એક દષ્ટિએ ન દેખતાં ચારે. બાજુ દષ્ટિથી દે. બાપ દીકરાને દીકરા તરીકે, સાસરે જમાઈ તરીકે મા પુત્ર તરીકે, સ્ત્રી પતિ તરીકે દેખે છે. છેકરામાં પતિપણાને ધર્મ, જમાઈપણનો ધર્મ, પુત્રપણને ધર્મ, આ બધું અપેક્ષાએ દેખીએ. છીએ. તેવી રીતે અપેક્ષાએ જોઈએ તે બધી વસ્તુ માલુમ પડે. અપેક્ષાએ કથન કરવું તેનું નામ સ્યાદ્વાદ.” આવા સ્યાદ્વાદની. નીતિએ કહેનારા રિલેકના નાથ તીર્થકર ભગવાન છે. એકí વાતે કરનારા નથી, અભયદાન દેવાવાળા સાધુ, ઉપાધ્યાય, આચાર્ય બધાએ છે. પણ તેઓમાં અભયદાનની ઉત્પત્તિ પહેલવહેલી કરનાર તીર્થકર ભગવાન છે. સ્વાર્થ બધાને વહાલે છે. જન્મથી માંડી મરણ સુધીની સાંસારિક દશા દેખીએ તે મારું, મારા કુટુંબનું કરું. આ જ ભાવના આ જગતમાં છે, કિંતુ મારું થાય કે ન થાય તેની મને દરકાર નથી, પણ આખા જગતના જીવનું હિત થવું જોઈએ. “મારું અને મારા આશ્રિતનું કરુ” આ દશા ઉડી જવી, અને “આખા જગતનું થવું જોઈએ?—આ દશા પ્રાપ્ત થવી-આવવી મુશ્કેલ છે. અરે ! આવી કલ્પના આવવી તે પણ મુશ્કેલ છે. તે પછી તેવી પ્રવૃત્તિ કયાં? પહેલવહેલી કલ્પના પહેલવહેલી પ્રવૃત્તિ આ મહાપુરુષે કરી છે, તેથી તેઓને તે અંગે જ તીર્થકર કહીએ છીએ. મારા તરફથી કેઈને અંશપણુજરાન પણ ડર ન થાય, તેવી નિર્ભય સ્થિતિ જન્મમરણના ઉપદ્રવથી પીડાઓથી બચે તેવું મારે કઈ પણ ભોગે કરવું. આવી. મનેદશાએ.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy