SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન છતાં પણ આસન સારું જોઈએ. શાતાગારવામાં ઉતરી ગયા. આવી. સ્થિતિમાં આટલી નજીવી કુટેવથી બીજા ભવમાં અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા. અને હાથ પગ લંબાઈ ગયા. ચાલી શકાતું નથી. પૂર્વભવના અવધિજ્ઞાનવાળા, છ મહિના ઉપવાસ કરવાની તાકાતવાળા એમના ચેલા અનાર્ય દેશમાં જઈને પ્રતિબંધ કરી અહીં યુક્તિથી લાવ્યા, આર્ય જેવાની પણ શીતાગારવની કુટેવ આ દશા કરે, તે આપણું શું દશા? વિધિવાળાએ ધ્યાન રાખવાની જરૂર છે. મૂળ વિધિએ વર્તમાન પરિ. ગ્રડથી વધારે કંઈ પણ પરિગ્રહ રાખે ન જોઈએ. એ પણ સગવડિયે પંથ છે. હજારો માણુ પાસે લહેણી છે, તે કેમ છેડી દઉં ? મારી, પાસે છે, એમાંથી પિસા ખસેડવા ન પડે, એ સગવડિયા પંથ જોઈએ છે. ચોમાસાનો ટાઈમ છે, જે તે જગ્યાએ લીલફૂલ-વનસ્પતિ સંમૂચ્છિમ ત્રસજીવ ઉત્પન્ન થઈ જવાના, તેને ઉપાય કર્યો? ચાર પૈસાનો ચૂને લગાવી દીધું હેત તે લીલફૂગ ન લાગત. ઉપગની ખામી. તેથી લીલફગ થઈ, ચીકટવાળા-થાંભલા-ઠામ–ભીંત-ઉપર ચૂનો લગાડે ? ખરચ હિસાબમાં નથી, મહેનત હિસાબમાં નથી, પણ આ જીવમાં તે સમજણ આવી નથી. શું તમારી જિંદગીમાં પહેલું ચોમાસું છે? વરસો. વરસ લીલ અનંતકાયને દેખે છે; અનંતકાય ભક્ષણના પચ્ચખાણ પણ કરે છે, શા માટે? કંદમૂળ કડવાં લાગે છે તે માટે કરે છે? અનંતા જની, વિરાધના થાય તેથી દુર્ગતિ થાય તેથી બચવા માટે. ચોમાસામાં પાપડ વગેરેમાં લીલકૂલ થાય પછી તેને લુંછી નાખે છે, તેનું કારણ શું ? તમારા ઘરમાં ઘી, તેલની બરણીઓ ઉપર અનંતકાય મરે તેની વિરાધના ટાળી ? પછી સગવડિયા પંથ સિવાય બીજું કયું નામ દેવું? આમાં સગવડતામાં ખામી આવતી નથીને? પોતાના ઘર આગળ લીલફૂલ થાય છે. ( વાત એક જ, ચોમાસું આવ્યું એને અર્થ એ જ કરે કે આ સાધુએ ચાર મહિના સુધી સ્થિર રહેશે, બીજું કંઈ નહિ, અષાડ ચોમાસામાં મારે શું કરવાનું છે, એવું જે લક્ષ્ય પહોંચવું જોઈએ. તે તે પહોંચ્યું જ નથી; ચોમાસાના અંગે ખાંડવું–દળવું–વુંપીસવું
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy