SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન તીર્થકરના જન્મ પહેલાં મેક્ષ બંધ હેય. તેમ અજીતનાથ પ્રભુ વગેરેના તીર્થમાં મેક્ષ બંધ થયા પછી પણ ધર્મ ચાલતું હતું, ધર્મ કરતા હતા ને ફળમાં ચેકડી હતી. કેમ? મક્ષબંધ હોવાથી. દરેક તીર્થકર મહારાજના જન્મ પહેલાં મોક્ષબંધ હોય તે ખેલે પછી તીર્થંકર મહારાજા. ધર્મની આરાધના ચાલે, પણ મોક્ષે જવાનું બંધ, આ વાત દરેક વરસે કલ્પસૂત્રમાં સાંભળે છે. દરેક તીર્થકરની બે પ્રકારની મોક્ષ સ્થિતિઃ એક પર્યાય ને બીજી પરંપરા. પિતાના કેવળજ્ઞાન થયા પછી કેટલે કાળે મેક્ષે જવાનું શરૂ થયું તે પર્યાયાન્તકૃતભૂમિ. પિતાના કેવળ જ્ઞાને તીર્થ ચલાવ્યું, તે તીર્થમાં કેટલી પાટ સુધી મેક્ષ ચાલ્યા તે યુગાંતકૃતભૂમિ. કેવળજ્ઞાનના અમુક પર્યાયે મોક્ષમાર્ગ ચાલે. મોક્ષમાર્ગ વહેતે બંધ થએલો તેને ચાલુ કરનાર અને મુખ્યફળ સાથે જોડી દેનાર ત્રિલેકના નાથ તીર્થંકર છે. નવપદ, પાંચ પરમેષ્ઠિ વીશસ્થાનકમાં પ્રથમ તીર્થકંરને લઈએ છીએ. કાઉસગ્ગ પારતાં “ના દિંતાન' બોલીએ છીએ. અરિહંત મહારાજને અગ્રપદ કેમ? જ્યાં જ્યાં ઉલ્લેખ મુખ્યતાએ કરીએ ત્યાં ત્યાં તે સાધનને આદિમાં ઉત્પન્ન કરનાર, સાધ્ય સિદ્ધ કરી આપનાર એ અરિહંત મહારાજ છે. આ પંચાસ્તિકાયમય જગતના ઉદ્યોતક–દીવાસૂર્ય કહીએ છીએ. આ જગતના દીપક કેમ? ધર્મ શબ્દ પ્રથમ એમણે ઊભું કર્યો. ધર્મશબ્દ ઊભું કરે કેશુ? ઊ એ જ કરી શકે કે જે દુનિયાથી ગાડે બને તે જ ધર્મ શબ્દ ઉત્પન્ન કરી શકે. પચ્ચકખાણ કેનાં હોય? દુનિયા ઈષ્ટ રસ, ગંધ, રૂપ, શબ્દ માટે માથા ફેડે. આવી જગતની અનાદિની સ્થિતિ, તે બચપણથી પાંચે ઇદ્રિનાં વિષયની સ્થિતિ આત્મામાં ઓતપ્રેત થઈ ગઈ છે. જેના વિચારે પ્રવત્તી વિષમાં એતપ્રેત થયા છે, તેની વિરુદ્ધ કલ્પના કરીએ તે પણ ન આવે. વિરુદ્ધમાં સજ્જડ વિરુદ્ધ “સારા વિષયને સુખરૂપ ન ગણવા” તે જગતથી વિરુદ્ધ કાપ્યું તે કાપ્યું, પણ કાપીને હાથમાં દીધું. ઈષ્ટ વિષને
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy